SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ધ જીજ્ઞાસુ અકબર. પાતાના અસ્ત વ્યસ્ત થયેલાં વસ્ત્રો સમાય; પરંતુ તેટલામાં તેનું કંઠ સ્થાન અને તેના વૃક્ષ: પ્રદેશ દષ્ટિઞાચર થયા વગર રહ્યાં નહિ. તેના કાળા ભમર જેવા કેશકલાપ છુટા વિખરાયલે હતા; પર ંતુ તે સમારવાનું તેને સૂયું નહિં. તેણે પોતાના કેશકલાપ કદી પણ આળાવ્યેા હાય એમ જણાતું નહતુ; કારણ કે તેમાં તેલની ગંધ સુદ્ધાં જણાતી નહાતી. આમ છતાં પણ તે કેશકલાપ સુદર જણાતા હતા, તેની મુખ મુદ્રાપર ફિક્કાશ હતી, તે બહુ સુંદર નહેાતી; પરંતુ તેની નાસિકા, નયનયુગલ, દંતપતિ વગેરે એવાં નમણાં હતાં કે તે જોનારને સાંદર્ય - મયીજ જણાતી હતી. જો કે તે સુંદર, રમણીય કિવા મેાહક જણાતી નહેાતી; પરંતુ તેનાં સ્વરૂપ માંથી સાદ અસ્પષ્ટ રીતે પણ દેખાઇ આવતું હતું. કેટલાંક પુષ્પા એવાં હાય છે કે જેને આપણે સુંઘવા માટે નાસિકા આગળ ધરીએ છીએ, ત્યારે તેમાંથી બિલકુલ સુગ ંધિ આવતી નથી; પરંતુ જ્યારે આપણે નિરાશ થઈને તેમને આ પણી સામે મૂકીએ છીએ, ત્યારે અલ્પ સમયમાં જ તેની સુગંધિ હેંકી રહે છે. કમળાનું સ્વરૂપ પણ આવાજ પ્રકારનુ હતું. કમળાની મુખમુદ્રા જોવા પહેલાં પૃથ્વીસિંહ અને તેના બન્ને મિત્રા નિરાશ થયા હતા; કારણકે જ્યાંસુધી તેઓએ કમળાનું મ્હાં જોયું નહાતું ત્યાંસુધી પેાતાની તરફ પીઠ ફેરવીને બેઠેલી સ્ત્રીના ગારવ સંબધે અને તેની હાજરી સધી તેઓ કશા ખ્યાલ કરી શકતા નહેાતા, પર ંતુ જેમ જેમ પૃથ્વીસિંહ કમળા પ્રત્યે તાકી તાકીને જોવા લાગ્યા તેમ તેમ કમળાની ઉગ્ર અને ગંભીર મુખમુદ્રા જોઇને તેના મનમાં કમળા વિષે પૂન્ય બુદ્ધિ ઉદ્ભવી. તેની દૃષ્ટિ નિર્મળ અને પવિત્ર બની ગઇ. કમળાદેવી પૂતળાંની પેઠે શાન્ત, ગંભીર અને નિર્વિકાર સુખમુદ્રા ધારણ કરીને ઊભી હતી. તેના નેત્રાની પાંપણ સુદ્ધાં હાલતી ચાલતી નહતી. તે કાના પ્રત્યે તાકી રહી હતી તે સુમજી શકાય તેમ નહોતું; પરંતુ તે પેાતાની પ્રત્યે આાડકતરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy