SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ] ૭. શિવાજી ચત્રિ મ લેતી કાઈ વ્યક્તિ ખાકી ન રહી જાય, તે માટે મહારાજે બધાંની મારફતે પ્રયત્ન શરૂ કર્યાં. કાઈપણુ વ્યક્તિ પાછળથી મહારાજના દોષ ન કાઢે એવી રીતે એ પોતાના ચાતુર્યથી પોતાના રસ્તા ચોકખા કરી દેતા. પાછળથી કાઈ મુદ્દાની વ્યક્તિ એમ ન કહે કે ઃ— શિવાજી રાજાએ મને કહ્યું હાત તા મારાથી બનતું હું પણુ કરત. આમ કરવામાં આવ્યું હેત તા બાદશાહ માની જાત અને પરિણામ સારૂં આવત, વગેરે વગેરે. ” દુનિયાને કાઈપણુ માણુસ પાછળથી શિવાજી મહારાજને કાઈપણ રીતના દોષ ન દે એવી પદ્ધતિથી એમણે કામ લેવા માંડ્યું હતું. કુમાર રામસિંહે મહારાજના સબંધમાં જે જે કહ્યું તે ક્રાંતિથી સાંભળી લીધું અને બહુ ગ ંભીરતાથી ખાદશાહ સલામતે જવાબ આપ્યા ઃ—“ શિવાજી રાજા તા બહુ પરાક્રમી અને બાહેશ પુરુષ છે. એમના જેવા બહાદુર સરદાર તા મારી સલ્તનતની શાલા છે. એમની સમરકુશળતા, કુનેહ અને મુત્સદ્દીપણાથી.તા આ બાદશાહતને બહુ લાભ થાય એમ છે, એટલે આ દરખારમાં રાખીને, બહુ મહત્ત્વનાં અને જવાબદારીનાં કામા મારે એમને સાંપીને એમનેા લાભ સલ્તનતને અપાવવા છે. એમની ઈચ્છા મુજબ જ દક્ષિણુની એમની જાગીરની વ્યવસ્થા થએલી છે. આ સલ્તનતમાં આવા મુત્સદ્દી પુરુષની જરુર છે. દક્ષિણની જાગીર એ એમના પુત્રને નામે ભલે ચલાવે, એમને પેાતાને માટે તા જાગીરની ખેાટજ શી છે! એમને તા હું કરાડે રૂપિયાની જાગીર આ તરફ્ આપીશ. શિવાજીરાજા જેવા બહાદુર પુરુષ માટે જાગીરના પ્રશ્ન હાય ખરા ? આ પ્રાંતમાં એ રહેશે તેા આ બાદશાહતને એમને બહુ લાભ થશે. આ પ્રાંતમાં એમને તામે લગભગ એક લાખ માણુસનું લશ્કર હું આપી શકીશ. એવા પ્રચંડ લશ્કરના બળથી એ બહુ મહત્ત્વની ચડાઈ એ કરી મુગલ સલ્તનતની ભારે સેવા કરી શકશે. શિવાજી રાજા જેવા પ્રતાપી પુરુષના સદ્ગુણાના વિકાસ અને એમના શૌર્યંની કદર એ જો આ દરખારમાં રહેશે તે તરત આંકી શકાશે. શિવાજી રાજાની ઈચ્છા, એમની અનુકૂળતા, અમારી સગવડ વગેરેને બરાબર ઊંડા વિચાર કરીનેજ હું એમના સંબંધની ગોઠવણા કરીશ. એમના સંબંધમાં કાઈ એ બહુ ચિંતા કરવાની જરૂર નથી, ટિત કરવામાં આવશે. ” શિવાજી મહારાજને બાદશાહના બંદીખાનામાં રાખી આપણે હવે દક્ષિણમાં ડેાકિયું કરીએ, ઈ. સ. ૧૬૬૬ની તા. ૧૨ મી મે તે રાજ આગ્રામાં ભરવામાં આવેલા મુગલ દરબારમાં જે બનાવ અન્ય તેની ખબર તરતજ રાજા જયસિંહના ઝુમાસ્તાએ મિરઝારાજાને દક્ષિણમાં પત્રથી જણાવી. આખરે શહેનશાહે શિવાજી મહારાજનું અપમાન કર્યું એ સમાચાર સાંભળી મિરઝારાનને ભારે દિલગીરી થઈ. શિવાજી મહારાજને મુગલ ખાદશાહે દરબારમાં ખેતલાવી ગિરફતાર કરી લીધા, એ સમાચાર વિજળી વેગે આખા મહારાષ્ટ્રમાં ફરી વળ્યા. શિવાજી મહારાજ દક્ષિણથી દિલ્હી તરફ જવા માટે નીકળ્યા તે દિવસથી જ આખા મહારાષ્ટ્રની નજર દિલ્હી તરફ વળી હતી. મહારાષ્ટ્રના લેાકા ચિંતાતુર હૃદયે દિલ્હીમાં શહેનૠાહ અને શિવાજી મહારાજની મુલાકાત થવાની હતી તેના પરિણામની વાટ જોઈ રહ્યા હતા. મહારાષ્ટ્રની પ્રજામાં મહારાજ અતિલાકપ્રિય થઇ ગયા હતા, એટલે મહારાષ્ટ્રીયા તા આ મુલાકાતનું પરિણામ જાણવા માટે ચિંતાતુર હાય એ સ્વાભાવિક હતું, પણ ખુદ મિરઝારાજા પોતે પણ ચિંતાતુર હતા. પ્રજાની ચિંતા અને તેનાં કારણેામાં અને મિરઝારાજાની ચિંતા અને તેનાં કારણામાં ફેરફાર હતા. સૌ ચાતક પક્ષીની માક પરિણામની રાહ જોઈ રહ્યા હતા. શિવાજી મહારાજ અંગેની બધી જવાબદારી બાદશાહે પ્રથમ તે। રામસિંહને માથે જ નાંખી હતી. જ્યારે મિરઝારાજાએ આ જાણ્યું ત્યારે, તેમને તે માટે પશુ ચિંતા થઈ. બાદશાહના સ્વભાવથી મિરઝારાજા વાક્ હતા. બાદશાહના વહેમી સ્વભાવ મિઝારાજનાથી અણુ ન હતા. ખાદાહના વહેમી સ્વભાવ કઈ વખતે ક્રાના ઉપર કેવા વહેમ લાવે, અને તે કેટલી હદ સુધી લઈ જાય તેનું માપ કાઢવું પણુ મુશ્કેલ હતું અને એવા વહેમના અનેક દાખલાના મિરઝારાજાને અનેક વખતે અનુભવ થયા હતા. રામસિંહને માથે નાંખવામાં આવેલી જવાબદારીમાંથી રામસિ ંહ મુક્ત થાય એવી મિરઝારાજાની ઈચ્છા હતી. મિરઝારાજાની ગઢવણવી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy