SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૧૨ સુ] પ્રજ્જુ ૧૨ શું ૧. દિલેરખાનનું દિલ ઊંચુ' થયું. ૨. સરદાર સુરારબાજીની પિછાન. ૩. સ્થાસીનિષ્ઠ સરદારની ક્ષુનિદ્રા. છે. શિવાજી ચત્રિ 310 ૪. પુરંદરનું તહનામું-સુગલ મરાઠાઓને ચાઆદિલશાહી ઉપર ચડાઈ ૫. સુગલ મરાઠાઓને આદિલશાહી ઉપર હતો. ૧. દિલેરખાનનુ દિલ ઊંચું થયું. નાથપંત સિ’હુ રાજાને અને દિલેરખાનને મળીને પાછા ગયા પછી દિલેરખાનને ખબર પડી કે જયસિંહ શિવાજી સાથે સલાહ કરવાના ઘાટ ઘડી રહ્યો છે. દિલેરખાનના દિલની ખાતરી થઈ ગઈ કે જયસિંહું હિંદુ હાવાથી શિવાજીના પક્ષમાં અંદર ખાનેથી ભળી ગયા છે. વહેમી માણસ જ્યારે વહેમની નજરથી જીવે છે અને વહેમી દિલથી વિચાર કરે છે, ત્યારે મને એના વહેમ મજબૂત થાય એવાં કારણેા ચારે તરફથી જડી આવે છે. દિલેરને પશુ તેમજ થયું. દિલેરે વહેમી દિલથી વિચાર કર્યાં ત્યારે તેને જયસિંહમાં બાદશાહને અવિશ્વાસ હતા તે સત્ય લાગ્યા, તેની ખાતરી થઈ અને એના દિલમાં પશુ મિરઝારાજા માટે વહેમ ભરાયેા. દિલ્હીથી નીકળતી વખતે બાદશાહે દિલેરખાનને ખાનગીમાં સૂચનાએ આપી હતી, તે ઉપરથી દિલેરનું દિલ સિહ રાજા માટે વહેમી બન્યું હતું અને એવી નજરથી એ મિરઝારાજાનું વન અને મૃત્યા તપાસતા. દિલેર વિચાર કર્યો અને સિંહને ચાખેંચેકખુ. જણાવી દીધું કેઃ— શિવાજીની મુલાકાત લઈ, એની સાથે સલાહ કરવાનું નક્કી કરી દેશે નિહ. આ સંબંધમાં ખરી પરિસ્થિતિને સવિસ્તર ખ્યાલ આપી, શહેનશાહ સલામતની સલાહ માગીએ અને એમને જે અભિપ્રાય આવે તે પ્રમાણે આપણે વર્તીએ. બાદશાહ સલામત શિવાજી સાથે સલાહ કરવાની સલાહ ન આપે ત્યાં સુધી આપણે એની સાથે કાઈપણ પ્રકારે સુલેહની વાતા કરી શકીશું નહિ. હાલમાં તે આપણે શિવાજીના મહત્ત્વના બે કિલ્લાને ઘેરા ધાલ્યા છે, તે બરાબર ચલાવી તેમાં શિવાજીને મહાત કરીએ. હું પુરંદર કિલ્લે કબજે કરવા નિશ્ચય કરીને બેઠા છું. શિવાજીને આપણે જીતી શકીશું એવી સ્થિતિ ડાય. તેા તેની સાથે સલાહ કરવા શા માટે તૈયાર થવું? આપણે તે મુગલ શહેનશાહતને સાલા કાંટા કાઢી નાંખવાના છે. આવી ભારે તૈયારીથી આવીને દુશ્મનને જમીનસ્ત ન કરીએ તો એ ઠીક નહિ કહેવાય. એની સાથે સલાહ કરવી એટલે એને વધારે મજબૂત થવા વખત આપવા જેવું થશે. આ વખતે શિવાજી ખરી પકડમાં સપડાયે છે. એ તા પકડમાંથી ગમે તે ખાને છટકી જવા ઈચ્છે છે. આવે વખતે સલાહ કરવી એ શહેનશાહતની ઈજ્જતને નુકસાનકારક છે એવું મને તે લાગે છે. આપને ઠીક લાગે તેમ કરી, પણ હું તેા પુરંદર ઉપર ખાદશાહી ઝંડા ડાવ્યા સિવાય પાછા ફરવાનેા નથી. શિવાજી જેવાને જમીનદાસ્ત કરવાના માકા વારંવાર નથી આવતા. આપણને વધારે નુકસાન થાય તે પણ તે વેડીને એક ફેરા એ દુશ્મનને નાશ કરવા જ જોઈ એ. એની સાથે સલાહ કરવી એ તેા સાપને છંછેડીને જીવતા છોડી મૂકવા જેવું છે. મને તેા સલ્તનતના લાભમાં જે વિચાર સ્ફૂર્યાં તે મેં આપને જણાવ્યા છે. આપને યેાગ્ય લાગે તે ખરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જયસિદ્ધ રાજાએ દિલેરખાનનું સાંભળી લીધું અને એક્લ્યા કેઃ— વીરને લડાઈના શાખઢાય, સમરાંગણમાં એ આનંદથી ઘૂમે, મરણને એ આનંદથી તેાતરે, એ બરાબર છે, પણ લડાઈમાં મુત્સદ્દીપણું ન હૈાય । સૈનિકાના જાનની ખુવારી થાય અને તેના પ્રમાણમાં પરિણામ મીઠું આવે. આપણે દી ષ્ટિ દોડાવી પરિસ્થિતિને તપાસવી જોઈ એ. દુશ્મનને અપશુકન કરવા માટે પેાતાનું નાક કાપવું, એ કંઈ ડહાષણુ ન કહેવાય. આવી મહત્ત્વની રાજદ્વારી બાબતમાં કેવળ લાગણીવશ થઈ તે કામ ન લેવાય. શિવાજી સાથે સલાહ કરીને એને મુગલ શહેનશાહતના ખંડિયા બનાવવા એ શહેનશાહતને વધારે લાભકારક છે. તહનામું કરવામાં આવે તે એના કબજાના મજબૂત અને મહત્ત્વના કિલ્લાઓ વગર www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy