SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ (૬૦) સુધાબિંદુ ૧ લું. રૂપરેખાના પાટા ઉપરજ આપણું વર્તમાનકાળના જીવનની રેલને આગળ વધારવાની હોય છે. આ આપણું વર્તમાન જીવન એ રેલ સમાન છે અને એને ચલાવવા માટે–સારી રીતે ચલાવવા માટે-ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારરૂપી બે પાટાઓની અનિવાર્ય જરુર છે. એ પાટા ન હોય તે ગાડી ગમે તેવી સારી હશે છતાં એક ડગલું પણ આગળ નહિ જ વધી શકે, અને આ પ્રમ જ વિચાર કરે એનેજ દષ્ટિવાદ પદેશિકી સંજ્ઞા સંજ્ઞીનું બિરૂદ આપે છે. એટલે ટૂંકમાં એમજ કહી છે કે-દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષા એ મિથ્યાદષ્ટિ માત્ર અસંજ્ઞી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંસી! અનાદિ ત્રય. ત્યારે એ બુદ્ધિની માન્યતા અને શાસ્ત્રના ફરમાનમાં તત્ત્વ કયું? શા માટે બુદ્ધિવાદે આગળ કરેલ વર્તમાન જીવન અને કંઈક અંશે ભવિષ્યના જીવનને જ વિચાર ન કરે ? શાસ્ત્રના ફરમાનને અમલમાં મૂકવાનો હેતુ શો ? અને તો પછી અનાદિ જીવ, અનાદિ કર્મ અને તેમનો અનાદિનો સંગ-એ ત્રણ વાતની ગળથુથીની મતલબ શી ? આ બધા સવાલને ટૂંકમાં એકજ વાકયમાં જવાબ આપી શકાય એમ છે અને તે એ કે જે વસ્તુ અત્યારે હયાત છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે એ વસ્તુના ભૂતકાળને પણ કોઈનાથી ઈ-કાર ન જ થઈ શકે. તે પછી આત્મા, કર્મ અને એ બન્નેના સંગનો ઈન્કાર કેનાથી થઈ શકે ? એને ભૂતકાળ ન માનીએ તે એનો વર્તમાન કાળ કે જે અમુક વખત પછી ભૂતકાળના રૂપમાંજ હમેશાને માટે રહેવાને છે તે પણ નથી બની શકતો અને તે પછી ભવિષ્યકાળની તો વાત જ શું કરવી? એટલા માટે જીવને, કર્મને અને તેમના સગાને અનાદિ માન્યા વગર છૂટકે નજ થાય! સાપ ગયા ને લીસોટા રહ્યા ! આપણુ બધાયન રજને અનુભવ આપણને કહે છે કે આપણે એક વસ્તુ સારી કરીએ છીએ એક ઉદેશથી અને અમુક સમય સુધી એનું અનુસરણ કર્યા બાદ આપણે એ વસ્તુને તે વળગી રહીએ છીએ અને એને ઉદ્દેશ સાવ ભૂલી જઈએ છીએ અને જેનો ઉદ્દેશ જ ભૂલાઈ જવાતું હોય તે કાર્યમાં અને આત્મા વગરના શરીરમાં જરાય ફરક નથી હેતે ! આ વસ્તુ જરા ધનમાલ, હાટહવેલી વિગેરે બાબતમાં વિચારીએ ? ધનમાલ પ્રાપ્ત કરવાની જડ કય!? માણસ પોતાનો જીવન વહ સારી રીતે ચલાવી શકે, પોતાના જીવનની અનિવાર્ય આવશ્યકતાને પહોંચી વળી શકે અને પિતાના વ્યવહારની અમુક સગવડો સથવાય એટલા માટે ધન ઉપાર્જન કરે છે. ધન ઉપાર્જન કરવા માં આજ ઉદ્દેશ સમાયલે છે, પણ પાછળથી ધન પેદા કરવાની ક્રિયા તો ચાલુ જ રહે છે પણ જીવનનિર્વા ના ઉદ્દેશ ભૂલાઈ જાય છે અને એનું સ્થાન ધનસંચમ કરવાનો હલકે શું કહે છે. બસ ખતમ ! અહિંજ એક વસ્તુનું સારતત્વ નાશ પામે છે. પછી તે એ વિચાર કરવા લાગે છે કે હવે તે અમુક ધન મેળવી લઉં એટલે મારા સંતાનને પણ વારો આપતા જા ' ! કયાં તે પહેલાં જીવનનિર્વાદુના શદ્ધ આશયથી ધનપાન શરૂ કર્યું અને કયાં અત્યારે કીડી મંકોડીની લોભીવૃત્તિથી દેરાઈ ધનને સંઘરો કરવા માટે ધનોપાર્જન કરવા લાગે ! આજ પ્રમાણે હવેલીમાં પણ! શરૂઆતમાં કાઢતડકે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy