SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આન ંદ-સુધાસિંધુ. ( ૧૧ ) સુધાર્મિદુ ૧ લું. વરસાદથી બચવાના ઉપાય તરીકે માનવી બુદ્ધિ એક સાધનની કલ્પના કરે છે અને એ કલ્પનાપ્રદેશમાંથી મકાન અનાવવાની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવનાને પાર પાડીને પેાતાના શરીરને ટાઢ, તાપ અને વરસાદથી બચાવવા માટે માણુસ મકાન બાંધે છે અને પાછળથી ? એકાદ કાઇક માણુસ મકાનની તપાસ કરતા પૂછ્તા આવે છે. મકાનના બદલામાં નગઢ નાાં આપવાની લાલચ બતાવે છે. પેઢે લેભીયે માણસ એ નાણાંના પ્રકાશમાં અંજાય છે અને માત્ર રહેવા પૂરતા ઉદ્દેશથી મનાવવા ધારેલ મકાનના બદલે ભાડુતની સગવડાના વિચાર કરીને જેમ બને તેમ વધારે ભાડુ ઉત્પન્ન થાય એવા વિચારથી પાતાની જરૂરીયાતા ઉપરાંતના મકાન બાંધે છે અને એક પ્રકારના ભાડાના વેપાર માંડી બેસે છે. આજ પ્રમાણે વસ્ત્ર અને ગીજી માગતામાં પણ બની શકે છે અને છેવટે આપણી દરેક ક્રિયાનું પરિણામ આ પ્રમાણે ‘સાપ ગયા અને લીસોટા રહ્યા” જેવુ જ આવે છે, સાચા વારસા. અને અહિં જ આપણે ભૂલ ખાઇએ છીએ. જો આપણે આપણું ભલું જાળવી રાખવુ હોય તા ત્યાં ઉદ્દેશ ફરી જતા જણાય ત્યાં અ ઉદ્દેશના નાશ કરનાર નિમિત્તેનેાજ નાશ કરી નાખવે. સમજો કે-એક રાજ્યમાં એવે કાયદો છે કે-દરેક માણુસ પેાતાના હાથે જેટલું વાપરે-ખરચે એટલુંજ એનુ ધન, બાકી ખીજા ફાઈ પશુ ધનને વારસે એ પોતાના પુત્ર-પુત્રી કે બીજાને ન આપી શકે તે ત્યાં ધનસંચયની ખરામ ભાવના કાણુ કરે ? આ પ્રમાણે આપણે આત્મા પણ જ્યાં આવી ભૂલને ભાગ થતા લાગતા હેાય ત્યાં આપણે સચેત થઇ જવુ જોઇએ અને એ પ્રમાણે ચેતતા રહેવાનું જો આપણે જરૂરી માનતા હાઈએ તા વસ્તુ આપણા બાળકેને પણ જરૂર સમજાવવી જોઇએ, અને આ વસ્તુ ખરાબર સમજાય તે માટે ઉપર કહેલ ત્રણે વસ્તુ એની ગળથુથીમાંજ આપણે તેને પાવી જોઇએ. આપણે સ'સારવ્યવહારમાં આપણા પુત્રને આપણા વારસા મળે એની ખુબ સંભાળ રાખીએ છીએ. સગીના પુત્ર ભગીને વારસા લે છે અને આપણા પુત્ર આપણા વારસા લે ! પણ એમાં વિશેષતા શી ! ખરી રીતે તે જે પ્રમાણે આપણે સંસારવ્યવહારના વારસાની ીકર કરીએ છીએ તેજ પ્રમાણે અરે તેથીય વધારે ધાર્મિક આત્મિક વારસા આપવાની પ્રીકર રાખવી જોઇએ. આપણા વ્યવહારમાં તે અત્યારે એવુ જોવામાં આવે છે કે વ્યવહારની સૃષ્ટિમાં જેટલુ ઉંચુ કુળ એટલે પાપસેવનને વધુ અવકાશ ! કેવી ભયંકર પરિસ્થિતિ ! મહાનુભાવા ! આ વસ્તુ બહુ વિચારવા જેવી છે ! તમે તમારા સંતાનને તમાશ ધાર્મિક વાસે નહિ આપે! તેા એના આત્મકલ્યાણનું શુ થશે ? એને પોતાનું ભવિષ્ય સુધારવાનો પાઠ કયાં મળશે ? કેણુ આપશે ? જૈનપણુાનેા ખરા વરસે તે એજ કહેવાય કે ગમે તેવા કફેાડા સંચાગા ઉભા થાય છતાં પે!તાના આત્માનુ' પતન થાય એવી ક્રિયા કદી પણું ન કરે! એક સાચા હિન્દુના બચ્ચા ગમે તેટલા ભૂખ્યા થયા હશે છતાં માંસ ખાવું તાદૂર રહ્યુ. એને વિચાર સરખા પણ નહિ કરે. ગમે તેટલા તરસ્યા થયા હશે છતાં દારૂનું નામ પણ નિડે લેવાના, તેવીજ રીતે સાચા જૈનને જિનેશ્વરના સાચા ઉપાસકને માટે એ પ્રથમ ફરજ છે કે ગમે ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy