SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રેટબ્રિટનથી છૂટી પાડવાની ઝંતિમાં સામેલ થયા. સ્વતંત્રતાનું જાહેરનામું ઘડનારી પાંચ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. ફ્રાંસમાં રાજ દૂત તરીકે પણ કામ કર્યું. સાથોસાથ ફ્રેંકલિને સ્ટવની શોધ કરી. રસાયણશાસ્ત્રમાં અતિ મહત્ત્વનાં સંશોધનો કરનાર ક્રિસ્ટલીને પણ એમણે પ્રોત્સાહન આપ્યું. એમણે નવા વિજ્ઞાનનો પાયો નાખનારાં પુસ્તકોનું પણ સર્જન કર્યું. ચોરાસી વર્ષના આયુષ્યમાં અનેક જિંદગી જેટલું કામ કરનારા બેન્જામિન ફ્રેન્કલિન માનતા હતા કે જેઓ જીવનને ચાહે છે, એમણે સમય સહેજે બરબાદ કરવો જોઈએ નહીં. જેઓ સમય બરબાદ કરે છે, તેઓ જીવન બરબાદ કરે છે. આટલાં બધાં કાર્યો વચ્ચે જીવનનો આનંદ કઈ રીતે પામી શકાય? એવો સવાલ જાગે, ત્યારે એનું રહસ્ય દર્શાવતાં બેન્જામિન ફ્રેન્કલિન કહે છે, જીવનનો સૌથી મોટો વૈભવ એ સમયની મોકળાશ છે. આરામ કરવા માટે, વિચાર કરવા માટે, તમારી શક્તિ પ્રમાણે ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે સમયની મોકળાશ જરૂરી છે અને તે એક જ માર્ગે આવી શકે. તમે તમારા જીવનનાં કાર્યોનાં અગ્રતાક્રમનું આયોજન કરો. તે અંગે પૂરતો વિચાર કરો અને પછી કાર્ય કરો. તમારાં બધાં જ કાર્યોને યોગ્ય સંદર્ભમાં મૂકો. આમ કરશો તો તમારા જીવનમાં નવી ચેતના આવશે. જીવનમાં વર્ષોનો વધારો થશે અને વર્ષોમાં નવજીવનનો સંચાર કોનું સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક, ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ એવા આલ્બર્ટ | આઇન્સ્ટાઇનનાં સંશોધનોએ વિજ્ઞાન તત્ત્વપ્રણાલીમાં ઝંતિકારી પરિવર્તન આણ્યું. મહત્ત્વ? કરચલીવાળો સૂટ અને કપાળ ઢાંકતા વાળ સાથે ફરતા આલ્બર્ટ આઇન્સ્ટાઇને ક્યારેય પોતાના પહેરવેશ, દેખાવ કે સામાજિક રૂઢિઓની દરકાર કરી નહોતી. એમનો જીવ તો એમનાં સંશોધનોમાં એટલો ડૂબેલો રહેતો કે પોતાની જરૂરિયાતો ઓછી કરીને એ પોતાના સંશોધનકાર્યમાં મગ્ન રહેતા. બર્લિનમાં નાનકડી ઓરડી ભાડે રાખી આલ્બર્ટ આઇન્સ્ટાઇને સમગ્ર સમય અને શક્તિ શોધ કાર્યમાં લગાડી દીધાં. વિશ્વભરમાંથી એમને વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. એમના સિદ્ધાંતો સમજવા ઘણાને માટે મુશ્કેલ હતા, તેમ છતાં આઇન્સ્ટાઇનને જોવા અને સાંભળવા માટે વિશાળ જનમેદની એકત્રિત થતી હતી. એમાં પણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન માટે જાય ત્યારે એમની પત્ની એલ્સાને એમના પહેરવેશ અંગે ખૂબ ચિંતા રહેતી. એમનાં લઘરવઘર કપડાં એલ્સાને પસંદ નહોતાં. થશે.” જન્મ : ૧૭ જાન્યુઆરી, ૧૩૦૩, બોસ્ટન, મૅસેચૂસેટ્સ, અમેરિકા અવસાન : ૧૩ એપ્રિલ, ૧૩૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા ૮૪ મનની મિરાત મનની મિરાત ૮૫
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy