SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ચારિત્ર અને તપના ચતુર્યામને જીવનમાં ઉતારી, કર્મક્ષય કરી, મોક્ષગામી બનવાનું બીડું ઝડપેલ. તપ કરીએ એટલે આહારના ત્યાગથી જેમ ક્રોધ ઉભવી શકે તેમ અહંકાર પણ જન્મે, પરંતુ જિનાજ્ઞાથી કર્મક્ષયના એકમાત્ર હેતુપૂર્વક કરાતો તપ સદૈવ દેવ-ગુરુ પસાથે જ આ તપ થાય છે તેની સત્યપ્રતીતિ કરાવે જ છે. પોતાના વીર્ય ફોરવવાના પુરુષાર્થને યશ આપવાને બદલે દેવ-ગુરુને જ તેનું પરમ કારણ માનતા ચંપા શ્રાવિકા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રભુ વીર પછી છ માસના નિરંતર તપ કરવાનું શ્રેય તેમને જ જાય છે, પરંતુ તેમની ધર્મશ્રદ્ધા, તપ થકી ઉત્પન્ન થયેલ સમતા અને વિનય ગુણે જ તેઓને સમ્રાટ અકબર સમક્ષ એમ બોલાવ્યું કે : “મારા ગુરુદેવની જ કૃપાથી હું આ તપશ્ચર્યા કરી રહી છું.” જો ક્વચિત્ તેમણે એમ ઉત્તર દીધો હોત કે આ મારા સંકલ્પબળથી કરી રહી છું તો ઈતિહાસ અલગ જ હોત ! -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોઆનાથી વધુ સુવિશિષ્ટ નિમિત્ત ન મળી શકે તેમ વિચારી બધા એકમત થયા તે અત્યંત મહત્ત્વની ઘટના ગણાય. સાંપ્રતકાળે શ્રમણો તથા શ્રાવકો વચ્ચેની આ કડી અનેકવાર તૂટતી જણાય છે તે દુઃખદ છે. (૩) સમ્રાટ અકબરની ધર્મોપરત્વેની ઉદારતામાંથી વહેતા સદ્ધોધના સ્પંદનો ઈ.સ. ૧૫૮૨ માં જ્યારે અકબરે આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી સમીપેથી જૈનધર્મના સિદ્ધાંતોને તત્ત્વજ્ઞાન સમજીને શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓની ઉંમર હતી ફક્ત ૪૦ વર્ષ. ભરપૂર સમૃદ્ધિ, સમ્રાટની પદવી અને યુવાની.... પછી તો કહેવું જ શું? પરંતુ આવી ભૌતિક સુખની રસલ્હાણ મળે જીવતા અકબરને તો દરેક ધર્મોના તત્ત્વોની સુયોગ્ય પ્રરૂપણા સમજવામાં ખૂબ રસ હતો. અકબરને જૈનધર્મના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અનેકાંત વગેરે દરેક મુખ્ય સિદ્ધાંતો ઉપર માન ઉપજેલું, પરંતુ અહિંસા તો તેમના હૃદયમાં જ વસી ગયેલ. શિકારના શોખીન તેઓએ લગભગ બધો કાળ માંસાહાર ત્યાગ કરી વર્ષના અનેક દિવસો દરમ્યાન કતલખાનાઓ બંધ કરાવ્યા, શિકાર જેવી શોખીન પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવી અને તળાવના માછલાઓને જીવનદાન અપાવ્યું. અકબરને સૂરિજીનું એક વાક્ય હૃદયવેધક બનેલું : “મનુષ્યનું ઉદર કઈ રીતે પ્રાણીઓનું કબ્રસ્તાન બની શકે ?” આ એક વાક્ય જ તેમણે મહાવીર જન્મદિન તથા પર્યુષણના આઠ દિવસ ‘અમારિ ઘોષણા' કરાવેલ. ગુજરાતમાં છ મહિના કતલખાના બંધ કરાવવાના તેઓના ફરમાનને પણ સૌએ વધાવી લીધેલ. એ તાકાત હતી તેમના ચારિત્રમાં. ઈ.સ. ૧૬૦૫ માં અકબરના મૃત્યુપર્યત સમ્રાટની લોકચાહના અકબંધ રહી તેનું એક કારણ તેનો અહિંસાપ્રેમ ગણાવાય છે. (૨) જૈન સંઘની સુયોગ્યતામાંથી ઝરતાં સબોધનાં સ્પંદનોઃ સોળમી સદીની શરૂમાં જ્યારે જહાંપનાહ અકબરે પૂજયશ્ન શ્ર આચાર્યશ્રીને દિલ્હી દરબારમાં પધારવા તેડું મોકલ્યું, ત્યારે એકઠો થયેલ જૈન સંઘ જરૂર અવઢવમાં હતો કે આટલા મોટા આચાર્યને એક મુસ્લિમ રાજાના દરબારમાં હાજર કરવાથી તેઓને, જૈનધર્મને કે જૈન સંઘો ઉપર કાંઈ આપત્તિ તો નહીં આવે ને? તે અંગે વિચારવિમર્શ કરવા જયારે અનેક સંઘોના આગેવાનો એકઠાં થયા, ત્યારે તેઓ ઉપરોક્ત આશંકા સાથે જૈનધર્મની યશોગાથા અંગે પણ ઉજાગર હતા. તેઓને પૂર્ણ શ્રદ્ધા હતી તેઓના ગુરુમહારાજમાં, તેઓની વિદ્વત્તામાં તથા તેઓમાં શુદ્ધ આચારમાં. વળી, જૈનધર્મનો ફેલાવો કરવા માટે ૪૧
SR No.034401
Book TitleJain Kathanakoma Sadbodhna Spandano
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy