SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ - ન હી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે - પર્યાવરણ વિશે માહિતીપ્રદ અને મૂલ્યવાન આકર ગ્રંથ -પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વર્તમાન વિશ્વ વિશે વિચાર કરતાં દક્ષ મહાયજ્ઞની પૌરાણિક કથાનું છે | વારંવાર સ્મરણ થાય છે. દક્ષ પ્રજાપતિ એ બળવાન, બુદ્ધિશાળી અને ઇચ્છાસંપન્ન રાજા હતા. એમણે યોજેલા ભવ્ય અને વિરાટ યજ્ઞમાં સહુ કે દેવોને નિમંત્રણ પાઠવ્યું, ક્તિ કલ્યાણના દેવ શિવને બોલાવ્યા નહીં. યજ્ઞ એ આ તો નવસર્જનનું અનુષ્ઠાન ગણાય, પણ એને બદલે દક્ષ મહાયજ્ઞ એ વિનાશ છે. હું અને વિધ્વંસનું કારણ બન્યો. સર્જનને બદલે સંહાર થયો. આજે જગતમાં છે. - દક્ષ એટલે કે “સ્કીલ'નો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, પરંતુ એમાં શિવ અર્થાત્ કલ્યાણને નિમંત્રણ આપ્યું નથી અને તેથી સર્જનને બદલે વિનાશની શક્યતાઓ છે. છે વધી રહી છે. આજનો માનવી ટેક્નૉલૉજી પર સવાર થઈને નવીનવી ક્ષિતિજો આંબી આ રહ્યો છે, પરંતુ એની આ તીવ્ર દિશાહીન દોડ સાથે એની પાસે એ વિચારવાનો છે. અવકાશ નથી કે આ ગતિ એના જીવનને કેવો ઘાટ આપશે અથવા એના : છે પૃથ્વીના ગ્રહ પરના જીવનમાં એ કઈ રીતે વધુ સુખપ્રદ, આનંદપ્રદ અને તે જ સમૃદ્ધ જીવન આપી શકશે ? રે રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોક રશિયાનાં ગામડાંમાં; છે વિજ્ઞાનની સમજ પ્રસરાવવા ઠેરઠેર ઘૂમી રહ્યા હતા. એક ગ્રામસભામાં એમણે દ ક કહ્યું, ‘આજનો માનવી વિજ્ઞાનની પાંખે હવે આકાશમાં ઊડી શકશે, છેક છે આ દરિયાની તળની શોધ કરી શકશે. આમ, માનવીની વિજ્ઞાનની સિદ્ધિઓ શું અશક્યને શક્ય કરનારી બની શકશે.' આવે સમયે સભામાં બેઠેલા એક અનુભવી વૃદ્ધ ઊભા થઈને સવાલ છે - કર્યો, ‘આ વિજ્ઞાન માનવીને આકાશમાં ઉડતા શીખવી શકશે, પાતાળમાં - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કે હું પણ પહોંચતો કરી શકશે, પરંતુ આ ધરતી પર કેમ જીવવું એનું જરૂરી શિક્ષણ આપશે ખરું ?' એ અનુભવી વૃદ્ધનો પ્રશ્ન આજેય અનુત્તર છે. આજે એક બાજુ 'ગ્લોબલ યુનિટી”ની વાત થાય છે અને બીજી છે બાજુ ધર્મ, જ્ઞાતિ, રંગભેદ કે રાષ્ટ્રની વિચારધારાના સંકુચિત દાયરામાં માનવી મુશ્કેટાટ બંધાતો જાય છે. ગ્લોબલાઈઝેશનની સાથે આવેલા કૉમર્શિયલાઈઝેશને છે લોકરુચિના બૂરા હાલ કર્યા છે. દરેક ક્ષેત્રમાં સ્થૂળતા, શુદ્રતા અને ભૌતિકતાનું છે જ મહિમાગાન થવા લાગ્યું છે. પર્યાવરણનો વિચાર કરીએ ત્યારે રાજા યયાતિના વૃત્તાંતનું સ્મરણ છે થાય છે. વૃદ્ધ બનેલા રાજા યયાતિને એના પુત્ર પુરુએ પોતાની યુવાની છે આપી હતી અને પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું હતું. એ રાજા યયાતિએ હજાર વર્ષ સુધી યુવાનીનો ઉપભોગ કર્યો. પછીની પેઢીને બુઢાપાની ભેટ આપી. માનવજાત છે આજે આવતી કાલનો કે આવતી પેઢીનો લેશમાત્ર વિચાર કર્યા વિના ઉપભોગ કે કરવામાં ડૂબી ગઈ છે, જે આવનારી પેઢીને અસ્તિત્વના આખરી શ્વાસ જેવું વૃદ્ધત્વ આપશે. પહેલાં દર દસ હજાર વર્ષે પૃથ્વી પરથી એક પશુ કે પંખીની જાતિ નિ ન થતી હતી. આજે માત્ર વીસ મિનિટમાં આ ઘટના સર્જાય છે. ડોડો જેવાં ૨ પક્ષી ક્યાંય દેખાતાં નથી. આજે જેમ પુસ્તક કે ચલચિત્રમાં ડાયનાસોરનું ચિત્ર જોઈએ છીએ, તેમ ધીરેધીરે પુસ્તકોમાં જ ગીધ કે ચકલીનાં ચિત્રો જોઈને સંતોષ પામવાનું રહેશે ! હું માનવીની ક્રૂરતાનું આ અજાણ્યું રૂપ ભવિષ્યમાં એના જીવન પર જ - ક્રૂર પંજો ઉગામશે. પૃથ્વીનાં સંસાધનોને લૂંટવા માટે ચંગીઝખાન કે હિટલરના Re હુમલાની જેમ આજે વિજ્ઞાપનોનો મારો ચાલે છે, જેમાં વસ્તુઓના બેફામ છે હુ ઉપયોગનો મહિમા કરવામાં આવ્યો છે. 3 હવે ક્યાં ઋતુ પણ આપણા હાથમાં છે ! આજ સુધી ઈંગ્લેન્ડમાં છે કે એવો અનુભવ થતો કે સવારે વાદળાં હોય, બપોરે થોડો સૂર્ય ડોકિયાં કરે છે છે અને સાંજે વરસાદ વરસે. આજે આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે તે - - - - VD નો દૂથ થઇ ગઢ
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy