SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભભાવ કરવાનો તો એકાંતે નિષેધ છે. શુભભાવમાં રહીને મનચિત્ત શુદ્ધિ કરીને નવકારમંત્રનું સ્મરણ કરો. આના જેવો સુમંત્ર બીજો નથી. ભગવાનને ભજીને ભવ અંત કરો. “એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર.” કામ-ભોગનો એક જ વિષય પણ જીતવાથી સમગ્ર સંસાર જીતી શકાય છે. બીજા વિષયો પણ સહેજે વશ થઈ શકશે. બહુ પુણ્ય કેરા પુંજથી, શુભદેહ માનવનો મળ્યો.” આ માનવદેહ પૂર્વનાં ઢગલાબંધ પુણ્યથી મળ્યો છે તેમ સમજો. વ્યર્થ ગુમાવશો તો ભારે પસ્તાવું પડશે. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે, એ પરહરું ?” માનવજીવ આ પાંચ પ્રશ્નો શાંત ચિત્તથી વિચારે તો વૈરાગ્યભાવ નિશ્ચિત ઉદય પામશે. મોક્ષમાર્ગ પામશે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ , આ વચનને હૃદયે લખો.” પ્રત્યેક જીવને સમદ્રષ્ટિથી જોવાનો અભ્યાસ કરો. આ વચન ક્યારેય વિસ્મૃત કરવા યોગ્ય નથી તેવો નિશ્ચય કરો. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” સમગ્ર અધ્યાત્મનો આધાર જીવની સંસાર પ્રત્યેની ઉદાસીનતા ઉપર નિર્ભર છે. સંસારનું એક પરમાણુ પણ આત્મહીતનું કારણ થઈ શકે તેમ નથી તે સમજવું બહુ જરૂરી છે. “ભિન્ન-ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ.” ધર્મ તો તત્ત્વથી એકજ – આત્મધર્મ છે, જે ભેદ જણાય છે તે દ્રષ્ટિનો ભેદ છે, તત્ત્વથી ભેદ નથી, પર્યાયમાં ભેદ છે. હાઇakી પ્રજ્ઞાબીજ •176
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy