SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતિક સુખ-દુઃખ પૂર્વ કર્મનું પરિણામ છે, જ્ઞાની કે અજ્ઞાની સર્વને ભોગવવું પડે છે, પણ ભોગવતા સમયે જ્ઞાની સમતાભાવે ભોગવે અને અજ્ઞાની રડતો રહીને ભોગવે છે, આ જ્ઞાની-અજ્ઞાનીનો ભેદ છે. મંત્રતંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.’’ પરિણામે જે પાપનું કારણ છે તે મંત્ર-તંત્ર-ઔષધનું સેવન અજ્ઞાની જીવનું સ્વરૂપ છે. પરમ ઔષધ તો વીતરાગ વાણી જ છે. જન્મ, જરાને મૃત્યુ, મુખ્ય દુઃખનાં હેતુ; કારણ તેના બે કહ્યાં, રાગ-દ્વેષ અણ હેતુ.” જીવાત્માનું મુખ્ય દુઃખ જન્મ-જરા-મરણ છે, તે સર્વનું કારણ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ પણ ખાસ હેતુ વિના જ જીવ કરે છે. છે. “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર: એ ભાવે શુભભાવના, તે ઉતરે ભવ પાર.” આત્મજ્ઞાન, સ્વસ્વરૂપનું ધ્યાન, જગત પ્રત્યે વૈરાગ્ય ભાવ અને ઉત્તમ વિચાર યુક્ત શુભભાવમાં સ્થિતિ ભવપાર ઉતારે છે. “ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન.’’ શ્રી કેવળી ભગવંતોએ સ્વપર દયા જેવો બીજો ધર્મ નથી તેમ કહ્યું પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.’’ પુષ્પપાંખડીથી લઈને નાના-મોટા કોઈ પણ જીવ દુભાય નહીં તેની સાવધાની રાખવાની શ્રી જિનેશ્વરની આજ્ઞા છે. “શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.’’ ØKGK8 પ્રશાબીજ + 175 KVKVK |
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy