SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ “શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ?” સુખ-દુઃખનું સાચું કારણ શોધીને ઉપાય પ્રમાણિકતાએ કરે તો સુખદુઃખ (ભૌતિક)થી મુક્ત થવાય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત.” અંતરદ્રષ્ટિ, દિવ્યદ્રષ્ટિ, જ્ઞાનદ્રષ્ટિ મળે નહીં ત્યાં સુધી અતિન્દ્રીય એવો પદાર્થ(આત્મા) જાણવામાં આવતો નથી. દ્રષ્ટિ મેળવવા જ્ઞાની-સદ્દગુરુની નિશ્રા અને ભક્તિ કારણરૂપ છે. પિછે લગ સત્પુરુષ કે, તો સબ બંધન તોડ.” એક સત્પુરુષને શોધીને તેની પાછળ સર્વભાવ અર્પણ કરી ચાલ્યો જા તો સંસાર પરિભ્રમણનાં સર્વબંધન તુટી જશે. “કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” પરમાત્મા પ્રત્યે દીનભાવે સમર્પિત થઈને એમનાં અનુગ્રહ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી આ અનાથ જીવ સનાથ થાય છે કેમ કે એ પ્રભુ, કેવળ કરુણામૂર્તિ છે, નિસ્પૃહ છે, પ્રેમથી બંધાય છે. “સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધનબાર અનંત કિયો, તદપિ કશું હાથ હજી ન પર્યો. અબ ક્યોંન બિચારત હે મનસે, કછું ઔર રહા ઉન સાધનશે ?” સાધક આપ મતિથી સર્વશાસ્ત્રો, ભિન્ન-ભિન્ન નયથી વાંચે અને ધારણા બાંધે તેમ જ શાસ્ત્રાર્થ માટે મંડન-ખંડનની પ્રવૃત્તિ પણ કરે, આવું વારંવાર કરે તો પણ પરમાર્થની પ્રાપ્તિ થાય નહીં. કેમ કે શાસ્ત્રમાં માર્ગ બતાવ્યો છે, પણ મર્મ તો જ્ઞાનીનાં હૃદયમાં છે, તેની પ્રાપ્તિ ન થાય તો હાથમાં કશું આવતું નથી, માટે તે સાધક મનથી વિચાર કરી, સમજ કે આ સાધનમાં કંઈક ખુટે છે. લાખ ઉપાયે જીવ પોતે પોતાથી બોધ પામે નહીં. ગુરૂગમે જણાય. નાઇક 4 પ્રજ્ઞાબીજ •17 bass
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy