SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ? આવે, તેવું પોતાના પરિજ્ઞામે તો પરિણમે કે નહીં ? પોતાના સ્વભાવથી પરિણમે. એટલે કહ્યું ઝેર અને સુધા, એક અમૃત અને એક ઝેર (poision) એ આપણે લઈએ તો એને ખબર નથી કે આ જીવને મારે શું ફળ આપવું છે ? એ પદાર્થ જડ છે. અમૃતને ખબર નથી, સાકરને ખબર નથી, મીઠાશ આપવી છે. લુણને ખબર નથી કે ખારાશ આપવી છે. પણ આપણે જે ચામાં નાખીએ છીએ, સાકર નાખીએ કે મીઠું નાખીએ તો પરિણામ તો એ જ પ્રમાણે આવે ને ? મીઠું નાખીએ તો ચા ખારી જ થાય. એ તો જડ છે અને ખારાશ એનો ગુણ છે. સાકરમાં મીઠાશ એ એનો ગુણ છે. એમ ઝેર અને અમૃત જે લે તેને તે પ્રમાણે ફળ થાય. આત્માએ પોતાના ભાવ અનુસાર જે પુદ્ગલ ૫૨માણુનાં કર્મ ગ્રહણ કર્યાં, શુભ ભાવથી શુભ કર્યા, અશુભ ભાવથી અશુભ કર્યા. હવે કર્મ પોતાની રીતે પશ્ચિમે એમાં એને ફળ આપવાનું ક્યાં રહ્યું ? કર્મ તો પોતાના સ્વભાવથી પરિત્રમે છે. અશુભ કર્મ અશુભ રીતે પરિણમે. શુભ કર્મ શુભ રીતે પરિણમે. આ કર્મ ક્યાંથી બંધાયા ? પુદ્ગલ વર્ગવામાંથી. આ પુદ્ગલવર્ગના કોણે ગ્રહણ કરી ? અને તે પણ બહારથી નથી આવતી. તારી પાસેના stockમાંથી જ થાય છે. આ કર્મનો ઉદય જે થાય છે તે પણ બહારથી નથી આવતો. કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે. ? ભૌતિક શાસ્ત્રના વિજ્ઞાનની સૂક્ષ્મતા આપણે જોઈએ છે. code-less Phone, Fax, ગમે તે ભાષામાં લખેલું તરત જ translet થઈ જાય – આનું આપણને કેટલું આશ્ચર્ય લાગે ! પણ નાના બાળકને ન લાગે કારણ કે એનો એ subject છે પણ કોઈ વયસ્ક હોય તો એને એનું wonder લાગે, કારણ કે આ જીવને પોતાની ચૈતન્ય શક્તિનો અને પુદ્ગલ પરમાણુની તાકાતનો અંદાજ જ નથી. અહીં શાની કહે છે, ભાઈ ! ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.’ એણે જે શુભ અને અશુભ ભાવથી પુદ્ગલ પરમાણુ પુદ્ગલ પરમાણુ – કર્મના ગ્રહણ કર્યા છે, તેમાંથી જે કર્મનું સર્જન થયું છે એ કર્મ એના વિપાક થયે, ઉદયમાં આવ્યે અવશ્ય એનું ફળ જીવને આપે જ છે. એમાં આને શું ફળ આપવું અને આને શું ફળ ન આપવું – એનો હિસાબ રાખવાની કે જાણવાની જરૂર નથી. કારણ કે એ પોતાની પાસે રહેલાં કર્મ છે તે જ પરિણમે છે. એટલે કર્મને કાંઈ વિચારવાની કે જાણવાની જરૂર નથી. કારણ કે એનું સ્વાભાવિક પરિણમન છે. સાકરનું સ્વાભાવિક પરિણમન મીઠાશ છે. લૂત્રનું સ્વાભાવિક પરિણમન ખારાશ છે. ઝેરનું સ્વાભાવિક પરિણામન પ્રાણઘાતક છે. અને અમૃતનું સાધારણ પરિઝમન અમરતા છે. આ સ્વાભાવિક જ છે. એ પદાર્થ જડ જ છે અને એ કાંઈ જાણતા જ નથી અને એને જાણવાની કાંઈ જરૂ૨ પણ નથી. માટે ‘વાવો તેવું લણો’ અને ‘કરો તેવું પામો.’ આ વિધાતાનું વિધાન. આ કુદરતનો કાનુન. આ કર્મનો સિદ્ધાંત તો સમજાય. એમાંથી કહેવતો આવી છે. સદિઓનાં ડહાપણથી, ભાઈ ! તું એમ કહે કે લીંબોડી વાવીને, આંબાનું ફળ મળે. એમ ? ના. અત્યારે લીંબોડી વાવી છે તો કાળે-ક્રમે કરી, જ્યારે એ લીમડાનું ઝાડ થાશે ત્યારે એમાંથી લીંબોડી જ ઊતરવાની છે. આંબાના ફળની અપેક્ષા રાખવી નહીં. ભૂતકાળમાં આપણે લીંબોડી વાવીને આવ્યા છીએને હવે એમ કહીએ કે, ભગવાન ! તું મારા સામુંયે જોતો નથી. હું આટલો ધર્મ કરું છું તોયે ? ના. કારણ કે ભૂતકાળમાં એવાં જ કર્મ કરીને આવ્યા છીએ. તેં જેવું = શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 209
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy