SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ૧૪. ગૌમૂત્રમાં ઘસી આંબલીની જડ પીવાથી એકાન્તરે તાવ મટે છે. ૧૫. શુદ્ધ બગદાદી હરતાલની ભસ્મ, ૧ રતિ, શુદ્ધ સાલની ભસ્મ ૧ રતિ, કુમારિકાના રસમાં ગોળી બનાવી ૩ દિવસ આપવાથી તેનો તાવ જાય છે. પણ બન્ને વસ્તુઓ અતિ શુદ્ધ હોવી જોઈએ. આમાં પચ્ચે ચૂરમું અને ખાંડ આપવાં. ૧૬. વચ, સુંઠ, મરી, પીપલ, ફૂડ, મોહ, અજમે, અકરકરે ગૌમૂત્રમાં સારી રીતે વાટીને પગે લેપ કરી ઉપર ઘઉંનો રોટલે ગરમ ગરમ બાંધવાથી સન્નિપાતનું શમન થાય છે. વીર્યસ્થભનાધિકાર: પ્રમેહપચાર ૧. ૧ સેર ગેધૂમ ચૂર્ણ, (નિશાસ) છે સેર સફેદ મુસળી, કૌચબીજ, બિલાડી કંદ ૧૦-૧૦ તેલા, લા સેર ખાંડ, પાસેર ધૃત (વધારે પણ આવશ્યકતાનુસાર લઈ શકાય છે) ખાંડની ચાસણી કરી બધાંયે દ્રવ્યો મેળવી લીંબૂ પ્રભાણુ ગોળિઓ બનાવવી, છાયામાં સૂકવવી. સહન થાય એટલી નિત્ય ખાવી, ઉપર ગાયનું દૂધ ૨ તોલા સાકર નાંખી પીવું. ૧૫ દિવસમાં બિંદુકુશાદિ પ્રમેહમાં આરામ મળે છે. ૨. લવિંગ, જાયફળ, જાવંત્રી, કાન્તિસાર, અબ્રખ, રસસિંદૂર, વાયવિડંગ, ભદ્રખડગી ૧-લા ક, એકત્ર કરી ૨૧ પડિકી બતાવી, ૧-૨ નિત્ય સેવન કરવાથી સૂચિત દોષ અને નપુંસકત્વ દૂર દૂર થાય છે. દવા લીધા પછી પણ બ્રહ્મચર્યનું ૧૫ દિવસ સખ્ત રીતે પાલન કરવું, જે હસ્તમૈથુનથી પુરુષત્વ ગયું હોય તો કોઈ સારા ઘત યા તૈલનો ઉપયોગ મદનમાં કરો. ૩. પારક, વિદારીકંદ ૧-૧ સેર, સાકર છે સેર, ચાસની કરી ઔષધ ફૂટી, મેળવી ૪ ટેક સમાન ગેળિઓ બનાવવી. પ્રતિદિન ૨ ગળિઓ સેવન કરવાથી ધાતુવૃદ્ધિ સાથે પ્રમેહમાં પણ અચૂક લાભ થાય છે. ૪. ધૃત-કનકબીજ ૨ સેર, દૂધ ૨૧ સેર, કનકબીજની પોટલી બનાવી દોલકા યંત્રે શુદ્ધ કરે, અવશિષ્ટ દૂધમાં જામણું નાખી જમાવે, ઘી બનાવી અનંતર દૂધમાં શેલ ગંધક ના તેલ મેળવી મોટા મેઢાની શીશીમાં ભરી રાખે. તુલસી અથવા નાગરવેલના પાન સાથે પ્રતિદિન ૧ માસો સેવન કરવાથી પ્રમેહનું શમન થાય છે. શક્તિ આવે છે. ૫. શુદ્ધ શિલાજીત, પાષાણભેદ, ગોખરુ, આમલા ૫-૫ ટંક, સાકર ૨૫ ટંક, ચૂર્ણ ગી- તેલ સાંજ સવારે પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે. ૬. અબ્રખભસ્મ, જાયફળ, ફૂઠ, ભાંગ, તામ્રભસ્મ, આસગંધ, સમુદ્રશો૫, બળબીજ, ચરસ, વિદારીકંદ, કાળી મુસલી, ગેખર, સતાવરી, અજમો, અડદ, તલ, ધાણુ, આંગલા, નાગવલ્લી, કનકબીજ, જાવંત્રી, ખુરાસાણી અજમો, ભારંગી, કાકડાસીંગી, ભાંગરે, બને છરા, નાગકેસર, એલચી, તજ, તમાલપત્ર, ધળી મૂસલી, ગજપીપલ, દ્રાખ, વંશલોચન, આંમલીના કંકચા, હરડે, કાળામરી, અહિરેન, શણના બીજ, પીપલ, સુંઠ, ખારેકની ગોઠલી, બલબીજ, સર્વ દ્રવ્ય ૧-૧ રંક, સાકર ૧૦૮ ટંક, ચૂર્ણ કરી મધમાં મેટા બાર બરાબર ગાળિઓ બનાવવી. સર્વ પ્રમેહ વિનાશ માટે આ ઉપરોગી છે. ધાતુવૃદ્ધિ માટે પણ ઉત્તમ છે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy