SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ આયુર્વેદના અનુભૂત પ્રયોગો બાટીમાં નાંખી પકાવવું, સ્વાંગ શીતલ થાય ત્યારે વાટીને ગાળી નાના બાર સમાન બનાવવી. ૧ ગેળી પાણી સાથે લેતાં જ અતિસાર બંદ થાય છે. ૨૧. વડની જટા દૂધી સાથે કૂટીને પાવાથી રક્ત સ્તંભે છે. ૨૨. તાંદળિયાનું મૂળ, સાકર અને સાડીચેખાનું પાણી સાથે પીવાથી અતિસાર મટે છે. ૨૩. સફેદ કાથો, સતવા સૂઠ, બિવ ગર્ભ ૩-૩ ટંક, અફીણ ૨ ટંક, કાંકસીનાં પાનના રસમાં ખરલ કરી ગોળી બનાવે. ગૌ દહીંથી ૧ ગોળી આપવાથી ગમે તેવો અતિસાર શમન થશે. વરપચાર ૧. અગર, વાળે, સુખડ, કિરાયત, પીપલ. ગળો, ધાણું, વળા-૦૧ી કે, પાનરસથી ગળી બાંધવી. દાઉજવર શાન્તિ માટે દિવસમાં ત્રણ વાર પાણી સાથે સેવન કરવી. ૨. ગોરખ તંબલ છાયા શુષ્ક ટંક ૧, મિશ્રી અંક ૩ સાથે ૧૪ દિવસ પીવાથી ઉષ્ણ જ્વર મટે છે. ૩. હરડેની છાલ ટંક ૨, શુદ્ધ પારદ, શુદ્ધ નેપાલા ૧-૧ ટંક, ૨૫ ટંક બકરીના દૂધમાં પકાવી ૧-૧ રતિની ગોળીઓ બનાવવી. દિવસમાં બે ખાવી. પથ્ય કેવલ દૂધ, ભાત, મલબંધ, પેટપર ભાર, ઉષ્ણુતા અને જીર્ણજવર મટે છે. ૪. ત્રિકટુ, ત્રિફલા, પુષ્કરમૂલ, કિરાય, ચિત્રક, પીપલામૂળ, સમભાગ પ્રતિદિન ૧-૨ ટંક લેવાથી ગરમી, અરુચિ, અજીર્ણાદિ દોષોનું શમન થાય છે. પ. દાહજવર માટે જેઠીમધ અને એલચી લીંબૂના રસમાં આપવાથી સારો લાભ થાય છે. ૬. તાવની પ્રબળતાને કારણે પગમાં ખેંચાણ વગેરે હોય તે રાા તેલા અજમે પાણીમાં થોડીવાર ભજવી લસોટીને પીવાથી સુચિત દોષ મટે છે. ૭. લવિંગ, કિરાયતે સમભાગે લઈ સાંજ-સવારે ૪ રતિ આપવાથી સન્નિપાતમાં લાભ થાય છે. ૮. અકરકર, સેકેલ ચણ, કડવી તુંબડીને ગર્ભ, અજમો, સર્વ ચૂર્ણ કરી શરીરે મસળવાથી - સીતાંગ– શમે છે. ૯. ચણાકીની શુદ્ધ દાળ ઢક વળી વાટીને ફાકી દેવાથી તેજ-ત્રણ દિવસમાં આવનાર તાવ મટે છે. પણ આ પ્રયોગમાં એટલી સાવધાની અપેક્ષિત છે કે તત્કાળ દૂધ અને ભાતનું પથ્ય આપવું જોઈએ, અન્યથા અકસ્થ પરિણામની સંભાવના છે. ૧૦. કાકવિષ્ટા રવિવારે અધર ઝીલી ૧ માસા સુધી ગોળમાં આપવામાં આવે તે નિશ્ચથી તેજરો તાવ શમે છે. ૧૧. કાકવંધા પંચાંગ પાવાથી પણ વાંછિત ફળ તેજરા માટે આવે છે. ૧૨. પારદ, ગંધક, કનકબીજ, (શુદ્ધ) ચોક ૧૨ ટંક, ચોકને ગૌદુષ્પમાં ડોકાયંત્ર શોધો. પછે ? વાર જભીરી અને ૩ વાર આદુના રસની ભાવના દેવી, અનન્તર પારદ ગંધક કેજજલી કરી ક્રમશઃ ઔષધ મેળવવાં. ચૂર્ણ ૧ રતિ, મિશ્રી ટંક સાથે સેવન કરાવવાથી વાત, પિત્તાદિ જનિત સર્વ જવરનું શમન થાય છે. ૧૩ આંબલીની જડ, શીતળ જળથી ઘસી ૧૨ ટંક, પીવાથી તેજરો મટે છે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy