SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ૨૫ ૭. હળદર, હરડે લેહચૂર્ણ (શુદ્ધ) સમજાત્રા લઈ વિષમ ભાગે ધૃત મધુ સાથે અવલેહીને આપવાથી પણ કમળો મટે છે. ૨, ગળો રસ સમભાગે મધુથી પાવો કમળ જાય. ૯, અપામાર્ગ, મુલેઠી, દારુહળદર, લીબડાની છાલ, રહિસના ફૂલ, રતાંજણી, જીરું, સમભાગે લઈ કાઢે કરી પાવો. ૧૦. છો, ચોખા હળદર મિશ્રી ટંક ૩-૩ વાસી પાણીથી બને ટંકની ફાકી આપવી, ૧૧. ગધેડેના તા બે લીંડા લઈ ૧ કપ પાણીમાં પ કલાક ભીંજવી રાખવાં પછી અડધે શેર છાશ મંગાવી, લીંબડાવાળું પાણી ગાળી ખૂબ નીચવીને છાશમાં મેળવી તરત જ પાઈ દેવું, સવારે આ ક્રિયા કરવી. ખાવામાં મીઠાને પૂરો ત્યાગ કર. ત્રણ દિવસમાં કમળે જાય છે, ન મટે તો સાત દિવસ પ્રયોગ કરવો. નિશ્ચિત જ કમળો મટી જશે. વિશેષ: આ પ્રયોગ વાદળાંવાળી ઋતુમાં ન કો, કદાચ કેઈ ને ટિટિનસ થવાનો ભય હોય તો પહેલાં એન્ટી ટિટિનસનું ઇજેકશન લઈ લેવું જોઈએ, પીળાપણું દૂર થઈ ગયા પછી ૧ માસ સુધી યકૃફૂલહારિ લેહનું સેવન કરવું જોઈએ. જેથી શક્તિ આવી જશે અને યકૃત પણ કામ કરતું થઈ જશે. ૧૨. ગધેડાની લીદને વાટી એક-એક ટંકની ર૧ પડીકી બનાવે. ગાયની પાસેર છાશમાં દિવસમાં ત્રણ વખત પાવી. પીળિયો મટશે, આના કરતાં ૧૧ સંખ્યાવાળા પ્રવેશ કરવો જ હિતાવહ છે. ૧૩, કડૂ અને જીરુ ૩-૩ ટંક ચોખાના ધોવણથી વાટીને પીવું, ૩ દિવસમાં કમળો મટશે. ૧૪. લીલો ધમાસો વાટી પીવાથી પણ કમળો મટે છે. ૧૫. વિંદાલના ડોડા વાટી પિટલી કરી મુંધવાથી પણ કમળો મટે છે, પથ્થમાં લૂખી દાળ જ ખાવી. ૧૬. કડવી ઝૂંબડીને ગર્ભ અથવા બી વાટી સુંઘવાથી કમળાનું પીળું પાણી નીકળી જાય છે. ૧૭. છંકણી બેર ૧ શેર, ગોળ ૧ શેર, લેહ ચૂર્ણ ૫ શેર, ૧ ઘડામાં નાંખવા, માંહે પાણી ૧૦-૧૫ શેર ભરવું. ઢાંકણું ખૂબ મજબૂત કરી ર ગજ ઉંડી ખાડમાં રાખી ઉપરથી બંધ કરી ૧૪ દિવસ રહેવા દેવું, પછી ગાળીને રાખવું, બાળક માટે ૨-૩ તલા અને મોટી ઉંમરના માણસ માટે ૪– તોલા સુધી પાવું. શીતળતા અને મીઠાને ખૂબ જ પરેજ રાખવો. કમળા, પાંડુરોગ મટી શરીર પણ પુષ્ટ રક્તવાણુ થશે. લેહાષ્ટક ૧૮. ત્રિફલા, ત્રિકુટા ૨૭–૨૭ ટંક, નાગકેશર ટંક ૧૦, પીપલામૂળ ૧૦, ચિત્રક, તજ, લવિંગ, એલચી ૯-૯ ટંક, કેકણી બોર ૧ શેર, લોહચૂર્ણ ૨ શેર, ગોળ ૫ શેર, પાણી ૧૫ શેર, ૧. મેવાડમાં આને ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાના વિખ્યાત આયુર્વેદ વિશેષજ્ઞ હસ્તીચિની રચનામાં પણ આ પ્રયોગ આપ્યો છે. ૧૭–૧૮મી શતાબ્દીના અન્ય સ્કુટ આયુવેદ સંગ્રહમાં પણ સર્વત્ર નોંધાયો છે. શિક્ષિતોને કદાચ આ પ્રયોગથી અણગમે ઉપજે, પણ પીલિયા માટે તે અર્થ મહૌષધ છે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy