SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા દાંત રોગોપચાર ૧. સિસની અન્તર છાલ વાટી દાંતમાં રાખે તેા દૃઢ થાય અને દુખે નહીં. ૨. ભારી ગણીનાં બીજ ગરમ તાવડીમાં રાખી એના પર ચલમ ઊંધી રાખી ધુમાડો કાનમાં કે દાંતે લે તે દંત પીડા શમે. કદાચ કીડો હોય તો પણ તત્કાલ નીકળે છે. ૩. ભારી ગણીનાં પાનની લુગદી દાંતે દાખે તે પણ આરામ મળે છે. ૪. તલ, ગાળ, અજમા અને તૂઅરના પુષ્પના રસગાલી કરી દાંતે દાબી રાખે તે દાંતની પીડા ઉપશમે છે. ૫. આકડાનું દૂધ, વાવડિંગ સેંધવ અને અલતાને રસ ચારે ભેગાં કરી દાંતે મસળે તે પીડા શાંત થાય. ૬. સુંઠ, કાળાં મરી, તજ તમાલપત્ર, નાગકેશર, વાવિડંગ, નાગરમાથ, ભારી ગણી, કપૂર, ધમાસા, કસેલા, કાથા, ઘેાડાવચ, કાળી સેાપારી, પીપર, અજમા, સગા, મારથુથુ ( તાવડીમાં નાંખી આગ પર ફૂલાવી પેવું. ) સમમાત્રા ચૂ કરવું. આ ચૂર્ણમાં અકલકરો, વદતી, હીરાકસીસ અને પીપરમેટનાં ફૂલ મેળવવા પછી દાંત પર ચેંજન કરવું. આનાથી પાર્પોરેયા—દત-પૂય, કળતર વગેરે રોંગો જાય છૅ અને દાંત મજબૂત બને છે, હલતા હોય તેા પણુ દૃઢ થાય છે. ૭. સાંભરનું લૂણુ અને કાળાં મરી વાટી નાં પૂમડાં વડે દાઢમાં દાખવુ. બે કલાક રાખવું જેટલુ પાણી નીકળે એ નીકળવા દેવું. દાઢની પીડા શાન્ત થશે. ૮. શુદ્ધ વચ્છનાગ, ઘેાડાવચ, અજમા રા–રાા તેાલા, પીપર ૧૫ તેાલા વાટી ચૂર્ણ કરવું. પછી રાત્રે શયન સમયે સ્વલ્પ મધ સાથે મેળવી દાંતે મસળવુ અને કોગળા કરી ઉપર પાનનું બીડુ ખાવું. આનાથી દંત દૃઢ થાય છે. ૯. કેરની કૂંપળના રસ કાઢવો. જે દાઢ દુખતી હોય તેની વિપરીત દિશાના કાનમાં રસ નાખવો, માત્ર ૪ દિવસમાં દાંત અને દાઢમાં આરામ થાય છે. માથુ દુ:ખે તો આવું નહીં. ૧૦. આકડાના સાત પાંદડાં લેવાં. અડધા શેર પાણીમાં નાંખી બાવા, પછી પાંદડાં નીચેાવી અવશિષ્ટ પાણીના બફારા લેવો અને કાગળા કરવા. દિવસ ચારમાં જ અસાધ્ય 'તપીડા નાબૂદ થશે. બફારો લેતી વખતે આંખો બધ રાખવી. ૧૧. શોધેલ મેાથુ માસા ૧, ગાયના ગરમ દૂધમાં નાંખી કોગળા કરવા, ઉપર પાન ખાવું. દિવસ ૭ માં અસાધ્ય દતપીડા સારી થઇ જશે. ૧૨. પીપર, ત્રિફલા, લેાદ, તુત્ય, સૈંધવ સમભાગે ચૂર્ણ કરી દાંતે મંજન કરવુ'. દંતશૂલ મટશે. ૧૭. રવિવારે ભરેલ કૂતરાની દાઢ લાવી ગળે બાંધે તે નિદ્રામાં દાંત કરડતા બંધ થાય. ૧૪. લાલૂનુ મૂલ દાઢે દાબી રાખે તે પીડા મટે. ૧૫. કાથા, મસ્તંગી ૧-૧ ટક, હીરાકસી, અફીણ અને કાળાં મરીના-નાટક મંજન બનાવી દાંતે ઘસે તે દાંત હલતા રહે, કીડા જાય. ૧૬. ધતૂરા અને માલકાંકણીનાં બીજ ૧-૧ ટાંક વાટીને ટિકડી કરે, પછી ૧૦ ટક ગાયના ઘીમાં તળે. આ ધૃત દાંતે અને દાઢે ઘસે તે બન્નેની પીડા જાય.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy