________________
1 ૧૨
ઝાકળભીનાં મોતી જે સમજે છે કે આપણું જીવન કોઈ બીજો માનવી હણી શકતો નથી, આપણી તાકાત કોઈ ખૂંચવી શકતું નથી, આપણી શક્તિને કોઈ અશક્તિ બનાવી દે તેમ નથી, એ માનવી જ હતાશામાંથી બહાર આવે છે. હૃદય માંથી ક્રોધને અળગો કરનાર જ આનંદ પામી શકે છે. શંકાના સળવળતા કીડાને ખતમ કરનાર જ સઘળે શ્રદ્ધા રોપી શકે છે.
પોતાની પરિસ્થિતિ માટે બીજાને દોષ દેવાનો ન હોય. કોઈને ફરિયાદ કરવાની ન હોય. કોઈને ગુનેગાર ઠેરવવાનો નું હોય. એ માટે જો કોઈનેય ફરિયાદ કરવાની હોય તો એ આપણી જાતને અને કોઈને સજા કરવાની હોય તો તે આપણી દુભવનાઓને !
પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે
--- ---- ---- -
-
-
-
-
-
-
-
મુલ્કમશહૂર શિલ્પી, બટન થોવલ્ડસન થઈ ગયો. એણે આખી જિંદગી ઉત્તમ કલાકૃતિઓ કંડારવામાં ગાળી.
નારીની નમણાશ હોય કે વીરની વીરતા હોય, પણ પોતાની શિલ્પમાં એને અનેરી છટાથી સાકાર કરે.
સહુ કહે : “આ શિલ્પી તો મુગા પથ્થરને બોલતા કરી
પણ શિલ્પીને સહેજે નિરાંત નહિ. એ માનતો કે પ્રગતિ માટે ગતિ સતત આવશ્યક છે !
આથી વળી એક હાથમાં હથોડી અને બીજા હાથમાં ટાંકણું લે. પોતાની કલાકૃતિને ધારી-ધારીને નીરખે, એમાં અપૂર્ણતા રહી ગઈ નથી એનું સૂક્ષ્મ અન્વેષણ કરે.
લોકોએ સંપૂર્ણ કલાકૃતિ કહીને વધાવી હોય એવી