SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ કહ્યું, ‘પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી દોશી જેવા પંડિતો પાસે.’ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વંદન ક૨વા આવ્યા. તેમણે સાધ્વીજીના અભ્યાસની સઘળી વ્યવસ્થા અમદાવાદના દેવસાના પાડા પાસે આવેલા શાંતિસાગરના ઉપાશ્રયમાં કરી દીધી. પંડિત બેચરદાસ દોશી પાસે આગમોનું અધ્યયન શરૂ કર્યું. પંડિત સુખલાલજીની વ્યાપક અને વિરાટ વિદ્વત્તા દ્વારા જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાનો સમન્વયાત્મક અભ્યાસ કર્યો અને પંડિત દલસુખભાઈ માલવણિયા પાસે દાર્શનિક અભ્યાસ કર્યો. પંડિત બેચરદાસજી ત્રણ દિવસ ઉપાશ્રયમાં આવતા હતા અને સાધ્વીશ્રી સ્વયં બે દિવસ અમદાવાદના ટાઉનહૉલ પાસે આવેલા સરિતકુંજમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી પાસે જતાં હતાં, તો શ્રી દલસુખભાઈ માલવણિયા દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરાવવા ઉપાશ્રયમાં આવતા હતા. એ સમયે અનેકાંતવિહારમાં મુનિ જિનવિજયજી પાસે પણ સાધ્વીશ્રી મૃગાવતીજી જતાં હતાં. આમ અમદાવાદમાં લાગલાગટ ત્રણ વર્ષ સુધી આગમોનો તથા અન્ય દાર્શનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો. જ્ઞાનપ્રાપ્તિનો કેવો અદ્ભુત સંયોગ સર્જાયો! એક એવી માન્યતા હતી કે જૈન સાધ્વી આગમોનો અભ્યાસ કરી શકે નહીં, પરંતુ પં. હીરાલાલ દુગ્ગડે નોંધ્યું છે તેમ “પ્રાચીન જૈનસાહિત્ય જોઈએ તો જાણવા મળે કે સાધ્વીઓ અગિયાર અંગોનો સ્વાધ્યાય કરતી હતી અને એ સાંભળતાં સાંભળતાં પારણામાં ઝૂલતા બાળક વજ્રને અગિયાર અંગોનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી આગમોમાં આવતાં વર્ણન પરથી એમ સ્પષ્ટ થાય છે કે જૈન સાધ્વીઓ આગમનો અભ્યાસ કરતી હતી.” તેઓ બપોરના બારથી ત્રણ વાગ્યા સુધી મૌન રાખતાં હતાં. આ નિયમથી એમનું જ્ઞાન સૂર્યપ્રકાશની જેમ પ્રકાશિત થતું ગયું, જેથી એમનું જન્મનામ ‘ભાનુમતી’ સાર્થક થયું. એમના જ્ઞાનગરિમા અને નિરતિચાર ચારિત્ર-પાલનથી પ્રભાવિત થઈને ઈ. સ. ૧૯૭૧માં મુંબઈમાં શાંતમૂર્તિ આ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને એમને ‘જૈનભારતી’ની પદવી આપવાની તીવ્ર ઇચ્છા ૨ આત્મસાધના અને જ્ઞાનઆરાઘના હતી. જૈનસમાજના અગ્રણી લેખક અને વિચારક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સાધ્વીજીને પદવીની વાત કરી, ત્યારે સાધ્વીજી તેમની પાસે ખૂબ રડ્યાં અને આગ્રહપૂર્વક કહ્યું, ‘મારે આ પદવી લેવી જ નથી’. ત્યારે શ્રી રતિલાલ દેસાઈએ પૂ. સમુદ્રસૂરિજીને જણાવ્યું કે, ‘સાધ્વીજી કોઈ રીતે પદવી લેવા તૈયાર નહીં થાય. તેનો જાહેર કાર્યક્રમ રદ કરો અને જ્યારે વંદન કરવા આવે, ત્યારે તમારી ભાવના પૂરી કરી લેજો.” પછી જ્યારે સવારે સાધ્વીજી વંદન કરવા ગયાં, ત્યારે ગુરુ મહારાજે કામળી તેમના પર નાખીને કહ્યું કે, ‘આજથી તમારું નામ જૈનભારતી.’ સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી માત્ર જૈનદર્શનનાં જ જ્ઞાતા ન હતાં; બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ, ઇસ્લામ વગેરે ધર્મોના સિદ્ધાંતોની જાણકારી પણ એમણે મેળવી હતી. તેઓ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય અખબારો અને સામયિકોનું ધ્યાનપૂર્વક વાંચન કરતાં હતાં. આધ્યાત્મિક જ્ઞાનની સાથે વિશ્વની ગતિવિધિથી પણ વાકેફ રહેતાં હતાં. વિભિન્ન ધર્મોનો અભ્યાસ કરવાને પરિણામે તેઓમાં આપોઆપ ભાવોની વ્યાપકતા, વિચારોની વિશાળતા અને તુલનાત્મક દૃષ્ટિ પ્રગટ્યાં. તેઓ ધાર્મિક સુધારણા તેમજ સામાજિક કાર્યો કરતાં હતાં, તેમ છતાં એમના નિત્યકર્મ, ધ્યાન અને સ્વાધ્યાય અંગે નિયમિતતા જાળવવા આગ્રહી રહેતાં. ક્યારેય કોઈપણ કામ હોય, તો પણ ધ્યાન અને સ્વાધ્યાયમાં વિલંબ ન થાય એ ખ્યાલ રાખે. એમણે સદૈવ મોક્ષપ્રાપ્તિનું ધ્યેય એમની નજર સમક્ષ રાખ્યું. વળી પોતાને જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્ય વ્યવસ્થા કરનાર પ્રત્યે પણ એક પ્રકારનો ઋણભાવ અનુભવતાં હતાં. દીક્ષા લીધી એ દિવસથી આત્મસાધના અને શાસનપ્રભાવના એ બે એમના જીવનનાં લક્ષ્ય બની ગયાં. જૈન આગમ, વેદ, બાઇબલ, કુરાને શરીફ, ગુરુ ગ્રંથસાહેબ વગેરે ધર્મશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. આટલાં બધાં જ્ઞાની હોવા છતાં જ્ઞાનનું ગુમાન એમને સ્પર્શી શક્યું નહીં. એ તો હંમેશાં કહેતાં, “જીવન એક પાઠશાળા છે. હું તો એક વિદ્યાર્થિની
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy