SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૫ ભાવનાનું આકાશ ભાવનાનું આકાશ મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ ધર્મ, સમાજ અને રાષ્ટ્રને માટે નવજાગરણનો સંદેશ આપ્યો છે. વહેમો અને કુરૂઢિઓની કુંભકર્ણ નિદ્રામાં સૂતેલા સમાજને એમણે એવો તો જગાડ્યો કે એ સમાજ એ કુ-પ્રથાઓને દૂર કરવા માટેનો સંકલ્પ કરવા લાગ્યો. સ્વાધ્યાયથી માંડીને અનેકાંતવાદ સુધીના સાત્ત્વિક ધર્મવિચારોની એમણે સમજ આપી. સમય આવે શ્રીકૃષ્ણ, જગદ્ગુરુ શંકરાચાર્ય, રમણ મહર્ષિ અરવિંદ ઘોષ, સ્વામી રામતીર્થ, શ્રીમદ્ રાજચંદ્ર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ગુરુ નાનક વગેરેનાં જીવનમાંથી પણ મળતા બોધને સમજાવીને એમણે વ્યાપક જનસમૂહને સન્માર્ગની કેડી બતાવી. આવા મહત્તરા સાથ્વશ્રી મૃગાવતીજીનાં પાંચેક લખાણો ઉપલબ્ધ થયાં છે. અને એ લખાણોની વિશેષતા એ છે કે એકમાં ગુરુચરણે વંદના છે, તો બીજામાં સાધ્વીસમાજના ઉત્થાનને માટે નક્કર આયોજન છે, ત્રીજામાં શ્રાવકને એના સાચા કર્તવ્યની ઓળખ આપી છે તો ચોથા લેખમાં એમણે વિદ્યાર્થીઓના પ્રકારો દર્શાવીને સાચી દિશા ચીંધી છે અને પાંચમાં લેખમાં નારીના મહત્ત્વને અનેક દૃષ્ટાંતો દ્વારા દેઢતાપૂર્વક દર્શાવ્યું છે. આમ, આ પાંચ લેખોના વિષય જોઈએ તો એમ લાગે કે ભલે એ મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ પ્રસંગોપાત્ત લખ્યા હશે પરંતુ એમાં ચતુર્વિધ સંઘના વિશાળ આકાશનો અનુભવ થાય છે. ચાલો, એ આકાશને નીરખીએ. પાવન અને પ્રભાવક વ્યક્તિત્વને ઉજાગર કર્યું છે. વીતરાગ પ્રભુનો ધર્મ સ્યાદ્વાદમય છે. પ્રભુના ધર્મમાં કોઈ આગ્રહ નથી. સ્યાદ્વાદ જેવો વિશાળ અને અદૂભૂત સિદ્ધાંત અહીં સમજાવવાનો મારો હેતુ નથી, મારે તો અહીં ફક્ત કેટલીક પ્રાસંગિક વાત કરવી છે. જનસાધારણની ભાષામાં ‘જ' એકાંતવાદ છે, અને ‘પણ’ અનેકાંતવાદ છે. ‘હું જ સાચો છું’, ‘મારી વાત જ બરાબર છે,’ ‘હું જે કહું છું તે જ સાચું છે', મને જ અધિકાર મળવો જોઈએ', ‘મારી વાત જ સ્વીકારવી જોઈએ’ - આ ભાષા એકાંતવાદની છે. અહીં લડાઈ છે, ઝઘડો છે, કલેશ છે, વિગ્રહ છે. કર્મબંધન છે. તમામ માનસિક ને શારીરિક બીમારીઓનું ઘર છે. આત્મવિશ્વાસને રોકનાર છે. જ્યારે ‘પણ'માં ‘કેટલાક અંશે તમારી વાત બરાબર છે, ને કેટલાક અંશે મારી વાત પણ બરાબર છે.’, ‘અમુક અપેક્ષાએ તમે સાચા છો અને અમુક અપેક્ષાએ હું પણ સાચો હોઈ શકું છું.’, ‘તમે કહો છો તે કેટલીક રીતે સાચું પણ છે,’ ‘તેની પણ વાત માનવી જોઈએ’, ‘તેને પણ થોડો અધિકાર છે.' - આ ભાષા અનેકાંતવાદની છે. અહીં સમાધાન છે, શાંતિ છે, પ્રેમ છે, સદ્ભાવ છે, સત્ય છે, કર્મનિર્જરાનું કારણ અને ઊર્ધ્વગતિનું સોપાન છે. જો આ સિદ્ધાંત આપણા દિલમાં વસી જાય; સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં વ્યાપક બની જાય તો ધરતી નંદનવન બની જાય. આવો ઉદાર સાર્વભૌમ સિદ્ધાંત ગુરુ વલ્લભના જીવનને સ્પર્શી ગયો હતો. તેઓ હંમેશાં સત્યશોધક રહ્યા, અનેકાંતવાદ તેઓનાં કાર્યોમાં, તેઓનાં લખાણોમાં, તેઓની વાણીમાં - સર્વત્ર ઉપલબ્ધ થાય છે, જ્યારે જ્યારે તેઓને લાગ્યું ત્યારે તેઓએ ‘સર્વસંહિતાય'ને ધ્યાનમાં રાખીને જ ઉપદેશ આપ્યો. ક્યારેય આગ્રહ રાખ્યો નથી. દરેક ફિરકાઓનું સંગઠન, સાધર્મિક ઉત્કર્ષ, જ્ઞાનના પ્રસાર-પ્રચાર જેવાં સર્વહિતકર શુભ કાર્યોમાં પણ તેઓનો આગ્રહ ન હતો. મને જ્યારે પણ વિચાર આવે છે ત્યારે એ જ ખ્યાલ આવે છે કે વાસ્તવમાં પ્રભુનો - વીતરાગનો ધર્મ તેઓને સ્પર્યો હતો. મેં જીવનમાં સાધુ-સંતોમાં આવા નિરાગ્રહી સંત ભાગ્યે જ જોયા છે. સ્યાદ્વાદ સિદ્ધાંતને જીવનમાં સ્થાન આપનાર આવા પરમપાવન નિરાગ્રહી, મહાસંતનાં ચરણોમાં મારા સવિનય કોટિ કોટિ વંદન. લેખ-૧ જેઓને પ્રભુનો-વીતરાગનો ધર્મ સ્પર્યો હતો ગુરુવલ્લભના જીવનને આદર્શ માનીને અધ્યાત્મના પંથે વિહાર કરનાર મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ આ લેખમાં પરમ પાવન નિરાગ્રહી ગુરુ દેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના wo
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy