SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે આદ્રકુમારના તપના પ્રભાવથી જ કડેલા બંધનથી છુટેલા મેટા હાથીનું વૃત્તાંત સાંભળીને પ્રજા સહિત શ્રેણિક રાજા સામે આવીને તપના પ્રભાવવાળા મહર્ષિ આક કુમારને વારંવાર વાંદીને કહેવા લાગ્યો, કે હે ભગવન! આ મોટું આશ્ચર્ય છે કે આવી મોટી સાંકળથી મજબુત ધંધાયેલે હાથી તમારા તપના પ્રભાવથી બંધન મુક્ત થયે, તે ઘણું મુશ્કેલ કામ છે, આદ્રક બોલ્યા, હે શ્રેણિક મહારાજ આ હાથીને સાંકળના બંધનથી મુકાવ મુશ્કેલ નથી, પણ સ્નેહના પાશથી મુકાવું તે ઘણું દુષ્કર છે, એ પૂર્વે નિયંતિ ૨૦૦ ગાથામાં કહ્યું છે, તે આ પ્રમાણે, म दुकरं वा गरपास मोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं । जहा उ चत्तावलिएण तंतुणा, सुदुक्करमे पडिहाइ मोयणं ॥१॥ માણસને વનમાં બાંધેલા મસ્ત હાથીને છોડાવ મુશ્કેલ નથી, પણ જે કાચા સુતરના સ્નેહ પાસના તંતુઓથી બંધાયેલ છે, તેને મુકાવે વધારે મને કઠણ લાગે છે, આ પ્રમાણે આકકુમાર રાજાને પ્રતિબોધ પમાડને તીર્થકર મહાવીર પ્રભુ પાસે જઈને વાંદીને ભક્તિના ભરથા નિર્ભર થઈને બેઠે, પ્રભુએ તેના બધેલ પ૦૦ સાથીઓને દીક્ષા આપીને તેના શિષ્ય બનાવ્યા.
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy