SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉક્ટરની કેબિનમાં જઈને કહી દીધું “જે લેવું હોય, એ લઈ લેજો. એને ઝેરનું ઇંજેકશન આપીને પતાવી દો.” રાગી મારા ઉપલી સપાટીને ‘લવ' કરનાર પણ રાગ છે. જુએ છે. વિરાગી આરપાર ચિંતા અને શંકા કરનાર પણ રાગ છે. જુએ છે. હસનાર અને રડનાર પણ રાગ છે. પતાવી નાખનાર પણ રાગ છે અને બીજાં રૂપની શોધ કરનાર પણ રાગ છે. પરમ સત્ય એ છે કે જ્યાં રાગ છે, ત્યાં સુખની કોઈ જ શક્યતા નથી. સંધ્યાત્મોપનિષદ્ ના તત્ત્વનો હવે સાક્ષાત્કાર થાય છે...વાસનાનુલ મોયે વૈરાથી તાવઃ જે અંદરથી પૂર્ણ છે, એને બહાર બધું જ શૂન્ય દેખાય છે. અને શૂન્ય પ્રત્યે કોઈ વાસના જાગવી શક્ય જ નથી. યુવાન પાસે આ આંતરિક પૂર્ણતા ન હતી, માટે જ એ દુ:ખી દુઃખી થઈ ગયો. અજ્ઞાનીની દૃષ્ટિમાં એ ત્યારે જ દુ:ખી હતો, જ્યારે રડી રડીને એની આંખો સૂઝી ગઈ હતી. જ્ઞાનીની દૃષ્ટિમાં એ ત્યારે પણ દુઃખી હતો, જ્યારે એ એની પત્ની સાથે વિલાસ કરતો હતો. રાગ = દુ:ખ, વિરાગ =સુખ. ટંકશાળી છે અધ્યાત્મોપનિષનું વચન...યઃ સવાનન્દમશ્નરે ! જે અંદરથી પૂર્ણ છે, એને અંદરનો ખાલીપો જ બહાર દોડાવે છે બહાર બધું જ શૂન્ય દેખાય | અને જે અંદરથી ખાલી છે, એને દુનિયાની છે. કોઈ વસ્તુ ભરી શકે તેમ નથી. કાગડો પોતે કાળો છે, તો ચૂનાના ગમે તેટલા થર પણ એને ધોળો નહીં કરી શકે. હા, એનાથી કાગડાને એવો આભાસ થઈ શકે, કે હું ધોળો થઈ ગયો. પણ આભાસ એ આભાસ જ છે, અને વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. ક્યાંક વાંચી હતી આ પંક્તિઓ - અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે ! સદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે || જે અંદરથી ખાલી ચૂનાના દ્રાવણમાં સ્નાન કરે, તો ય કાગડો છે, એને બહારની | કાળો જ હોય છે. સુખના સેંકડો સાધનોની વચ્ચે પણ કોઈ વસ્તુ ભરી શકે | રાગી દુઃખી જ હોય છે. હા, આભાસ ને અભિનય તેમ નથી. સુખનો પણ હોઈ શકે છે, પણ એનો શો અર્થ? એક ભિખારી કલ્પના કરે કે હું પ્રધાનમંત્રી કે ઉદ્યોગપતિ બની ગયો, એનો શો અર્થ ? ३७
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy