SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) - રાજધ. શેખ અને વિસ્થા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે; એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે. જેમ બને તેમ યત્ન અને ઉપયોગથી ધર્મને સાથે કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રીમાં વિશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, લખ્યા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે તેવું છે; એનું પરિણામ પણ કેવું સુંદર થાય ! " વિવેક. જ્ઞાનદર્શનરૂ૫ આત્માના સત્યભાવપદાર્થને અજ્ઞાન અને અદર્શન૫ અસત વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે, પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતિવાર આત્માએ ભગવ્યાં છતાં, તેમાંથી હજુ પણ મેહ ટળે નહીં, અને તેને અમૃત જે ગણ્યો, એ અવિવેક છે; કારણ સંસાર કડવે છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગ; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાનદર્શનને ઘેરી લઈ જે મિત્રતા કરી નાખી છે, તે ઓળખી ભાવઅમૃતમાં આવવું; એનું નામ વિવેક છે. {{s , , , - વિવેક એજ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મતત્ત્વ અને તપ એ સઘળા વિવેક વિના ઉદય પામે નહીં એ યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તેજ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. - જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે, તે તમને લક્ષમાં હશે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy