SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) યોગદષ્ટિસમુચય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધો ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઔષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદ્દગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ? मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ મુખ્ય આ જીવને ઉપજે, અનાદિ ચિત્ર કજ; તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણીઓને જ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માને મુખ્ય-નિરુપચરિત એવો વ્યાધિ છે; અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી-કારણથી ઉપજેલ છે; કારણ કે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે. વિવેચન જીવને આ જે ભવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલું છે; કારણકે જન્મ-મરણાદિ વિકારેના પ્રત્યક્ષ અનુભવ વડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણીઓને પણ અનુભવસિદ્ધ છે. ઉપરમાં જે ભવવ્યાધિને ઉલેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કાંઈ કલપનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે, નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉભેક્ષારૂપ કવિકલ્પનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસ્થિતિરૂપ સત્ય હકીકત મુખ્ય પરમાર્થ (Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસતુ વસ્તુસ્વરૂપે સતુ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે મુખ્ય-પારમાર્થિકસતુ વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિ તે નહિ, જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ વૃત્તિઃ-મુc:–મુખ્ય, નિરુપચરિત, -આ, ભવ્યાધિ નામનો-આત્માને જીવને, કેવા પ્રકારનો? તો-અનારિરિત્રવાર્બનિનાદ-અનાદિ એવા ચિત્ર કમરૂપ કારણુથી જન્મેલે,દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા કમરના બલથી ઉત્પન્ન એમ અર્થ છે. કયા કારણથી ? તે કે–તથનુભવસિદ્ધત્વાન-તથા પ્રકારે અનુભવસિદ્ધપણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાગ્મિતામિતિ-સર્વપ્રાણીઓને પણ,-તિયય પ્રમુખને પણ.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy