SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ મુકતતવમીમાંસાઃ ભગીની વિવિધતા, ચિકિત્સા, “મહા” રેગ કેમ ? (૬૩૭) છે, સાજોતા-હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, તેમ યથાયોગ્યપણે સમ્યફ રત્નત્રયીરૂપ ઔષધ પ્રયોગથી ભવરોગ નિમૂળ આરોગ્ય થતાં જીવ નીરોગી-ભાવઆરોગ્ય સંપન બને છે, સાજેતાજો-નિરામય સ્વાથ્ય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ નિમગ્ન સહજાન્મસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઈત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય-સરખામણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગદર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું. વળી આ ભવરોગને “મહા’ કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પોતપોતાના વર્ગમાં–જાતિમાં જે શ્રેષ્ઠ–મોટો હોય તે “મહા” કહેવાય છે. દા. ત. મહાકવિ, મહારાજા, મહાવીર, મહામુનિ અને ભવરેગનું મહત્પણું–મોટાપણું અનેક પ્રકારે મહા” રોગ છે. જેમકે-(૧) માણસના શરીરમાં ઉપજતો રોગ અમુક મર્યાદિત કેમ કહો? સમય સુધીને અથવા વધારેમાં વધારે યાજજીવ–આ જીદગી પર્યત ટકે એ હોય છે પણ આ ભવરેગ તે અનાદિ કાળથી આ જીવને લાગુ પડે અને ભવભવ ચાલી આવેલે હેઈ, હજુ પણ આ જીવને કેડો મૂક્ત નથી! આમ અતિ અતિ દીર્ઘ સ્થિતિને (Duration) લઈ આ ભવરગ “મહાન ” છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતે રોગ છે કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરોગથી રકાદિમાં (જુઓ ગાથા પૃ. ૨૦૨ ફૂટનેટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હોય છે કે તેની પાસે ગમે તેવો આકરો રોગ કંઈ વિસાતમાં નથી. રોગથી જે શારીરિક-માનસિક દુખ ભોગવવું પડે છે તેના કરતાં અનંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરોગથી વેઠવું પડે છે. ચાર ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુઃખ વેદના-યાતના ખમવી પડે છે આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity) પણ ભવરોગની મહત્તા છે. (૩) બાહ્ય રોગને સાધ-મટાડે એ કાંઈ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભવરોગ સાધ-મટાડે એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કુછૂસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરગ મહાન” છે– મેટો છે. (૪) બાહ્ય રોગ અતિ તીવ્ર હોય તે કવચિત્ એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર ભવરોગ તે સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામદષ્ટિથી પણ આ ભવરોગ અતિ મટે છે. ઈત્યાદિ પ્રકારે આ ભવ-સંસાર ખરેખર મહારગ જ છે. એને મીટાવવાને વિવેકી બદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક જીદગીના એક સામાન્ય રોગને મટાડવાને લેકે કેટલી બધી જહેમત ય ઊઠાવે છે ? કેવા આકાશપાતાળ એક કરે છે ? કેટલા વૈદ્ય-ડાક્તર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy