SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૦) યોગદષ્ટિસમુચ્ચય ૨, અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ટિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન ) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે. "नमो अरिहंताणं, नमो सिद्धाण, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सब्वसाहूणं ।” (૧) જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ* શુદ્ધ આત્મા તે “ અહંતુ ધ્યાન કરવા યોગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અહંત-જિન ભગવા–સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવનમુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂ૫ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે; કારણ કે આ સહજાન્મસ્વરૂપ શુદ્ધ આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હોવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એક્તાને; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુકિત નિદાને.”-શ્રી દેવચંદ્રજી. દહ તેય જેહની દશા અદેહ વર્તાતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી; ગિનાથ જે ધરી રહ્યા છવનવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વંદું એ વિભૂતિને.” શ્રી અરિહંતસ્તોત્ર (ડૉ. ભગવાનદાસ મ. મહેતા વિરચિત) (૨) જેના અષ્ટમ કર્મ અને દેહ નષ્ટ થયા છે, કાલેકના જે જ્ઞાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધ્યાવવા.” સર્વ કર્મ કલંકને ક્ષય જ્યથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચૈતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિકત્વરૂપ કૈવલ્યને પામ્યા છે,-એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છે— x" णट्ठचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ । सुहदेहत्यो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ॥" – શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવરીકૃત શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, +“ લે ઝોયાસ્ટોરન્સ ગાળો વા કુરિલાયા પા સિદ્ધ ક્ષ સોસિદ્દો.” –શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy