SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દષ્ટિ : સિદ્ધનું ધ્યાન, આચાર્યાદિનું ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા યોગ્ય છે. કારણ કે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટયો છે, સર્વ આત્મગુણુની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે, નિજ સ્વરૂપના કર્તા-ભોક્તા થઈ તે તેમાં રમણતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્ત્વપણું તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. “ધર્મ પ્રાગુભાવતા, સકલ ગુણ શુદ્ધતા, કતૃતા ભેગ્યતા, રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહો ભાવીએ!”—શ્રી દેવચંદ્રજી. “પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી. “ખાતાં કરી ખતમ કમતણા સમસ્ત, પામ્યા ગતિ જ અપુનર્ભવ જે પ્રશસ્ત; જેણે સૂર્યા ચઉગતિ રથ ચક ચારે, તે સિદ્ધને ચરણ હો શરાણું અમારે! -શ્રી સિદ્ધસ્તોત્ર (ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા વિરચિત) આવા પ્રગટ સહજાન્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણ કે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જે તે ધર્મમૂત્તિ ધમનાથ પરમાત્માને શુદ્ધ ધર્મ છે, તેવો જ આ આત્માને તિણે મનમંદિરે મૂળ સ્વભાવ ધર્મ છે. આમ જે વસ્તુની જાતિ એકતા છે, તે કદી ધર્મ પ્રભુ પલટતી નથી-ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સંગના પરિહારથી ધ્યાએ” તે પરમ આનંદમય પરમાત્મ તત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત્ત હોવાથી અવ્યક્તપણે–શક્તિરૂપે* રહ્યું છે, અર્થાત્ સંસારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્મપણું છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્ત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવું જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપ્તિ થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અપૃથફપણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનમંદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા યોગ્ય છે–પરમ ઈષ્ટ છે. +" मम शक्त्या गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः । एतावानावयोर्भेदः शक्तिव्यक्तिस्वभावतः ।। सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ।।" –શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy