SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૪) ગષ્ટિસમુચ્ચય હાય છે. તથા અત્રે વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અભ્રાંત, નિર્દેષ-નિરતિચાર હાય છે; અને એટલે જ તે સૂક્ષ્મબાધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ઢાય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહી. પાંચમી દૃષ્ટિમાં(૧) દન રત્નપ્રભા સમાન હાય છે, (૨) યાગવુ. પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ નષ્ટ થાય છે, ( ૪ ) ધ નામને પાંચમે ગુણ પ્રગટે છે. નિત્ય દર્શન: રત્નપ્રભા સમ સ્થિર દૃષ્ટિ એ પ્રકારે છે–( ૧ ) નિરતિચાર, (૨) સાતિચાર્. નિરતિચાર દૃષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્ય-અપ્રતિપાતી હાય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે; અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હાય છે, યૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી. 6 રત્નપ્રભા આ દૃષ્ટિના દર્શન-ધને રત્નપ્રભાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હેાય તેમ આ દૃષ્ટિના આધ ચેાથી દીપ્રા દૃષ્ટિ કરતાં ઘણા વધારે હાય છે. દીપકની પ્રભા તેલ વગેરે ખાદ્ઘ કારણેાને અવલખીને હાય છે, જ્યાં લગી તેલ ઢાય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હાય સમ જાણા રે’ છે, પણ રત્નની પ્રભા તેવા ખાહ્ય કારણાને અવલંબતી નથી, તે તે સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે–કદી નાશ પામતી નથી. તેમ આ દૃષ્ટિના એધ આત્માવલંખી છે, પર કારણને અપેક્ષતા નથી–પરાવલખી નથી, અપરાક્ષ છે, અને આમ આ બેાધ આત્માલખી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતા નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિરા દૃષ્ટિના આધ નિલ રત્નપ્રભા જેવા હાઈ, નિ'લપણાએ કરીને નિત્ય—સદા સ્થિર એકરૂપ હાય છે, અપ્રતિપાતી હાય છે, જેવા છે તેવા અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિ। દૃષ્ટિના આધ સમલ રત્નપ્રભા જેવા હેાઇ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતા નથી, મલાપગમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ ડ્યૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે ધૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હાય છે—ન્યૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે; તેમ આ દૃષ્ટિના બેધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર માંદોલનવાળા-અનિત્ય હાય છે, ક્ષયેાપશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થતા નથી, એટલે સ્થિર રહે છે. જેમ કેઈની આંખ ઊઠી હેાય ને તે મટવા આવી હોય, તેને તેના અસર માલૂમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, ઉત્કોપ આદિની તેને પીડા પણ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy