SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૦) વૈર્ગદષ્ટિસંચય તેને અનિષ્ટથી નિવત્તતાં અને ઈષ્ટમાં પ્રવર્તતાં જે ધર્માદિ પુરુષાર્થને બાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેને આસનાદિને અભોગ કરે, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિ. અને તેના દ્રવ્યનું તીર્થમાં નિયોજન કરવું, અર્થાત્ તીર્થક્ષેત્રમાં વાપરી નાખવું, નહિં તે તે પોતે ગ્રહણ કરે તે તેને મરણદિમાં અનુમતિને પ્રસંગ આવે. (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાને ધૂપ-પુષ્પાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્વદેહકિયા કરવી, મૃતકાર્ય કરવું. - પુષ્પથી, બલિથી, વસ્ત્રોથી, અને શોભન તેત્રોથી શૌચ-શ્રદ્ધા સમન્વિત એવું દેવોનું પૂજન કરવું. ઈત્યાદિ પ્રકારે યથાશ્યપણે ગુરુ-દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિ-બ્રાહ્મણે. વિદ્યા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકર્ષને પામેલા છે તે વિપ્રબે વાર જેનો જન્મ થયો છે, અર્થાત એક તે સ્થૂલ દેહ જન્મની અપેક્ષાએ અને બીજો સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ. બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવંત, સંસ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્વજનેરૂપ દ્વિજે યથાયેગ્યપણે પૂજવા ગ્ય છે, સન્માનવા ગ્ય છે, તેમજ તપેધન એવા યતિઓ પણ પૂજનીય છે. યતિ એટલે સંયમી પુરુષ, સાધુજન. જેણે મનને ને ઇદ્રિને સંયમ કર્યો છે તે “યતિ” અથવા “જતિ”. જે જીવરક્ષામાં ને ઇંદ્રિયનિગ્રહમાં યત્નવંત છે તે યતિ. ત૫ જેનું ધન છે તે તપોધન અનશનાદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આવ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપેધન યતિઓ નિરંતર પરમાદરથી પૂજવા યોગ્ય છે. આમ ગુરુઓ, દેવતાઓ, વિખે, અને તપોધન યતિઓ–આ સર્વ મહાત્માઓ જેમ ઉચિત હોય તેમ યથાયોગ્યપણે પૂજવા ગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયત્નવંત ચિત્તથી હોવી જોઈએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઈએ. पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ॥ સ્વકર્મથી જ હણાયેલા, પાપી પ્રતિ અત્યંત ન્યાય અનુકંપા જ-આ, ઉત્તમ ધર્મ મહંત, ૧૫ર વૃત્તિ –પાપરવિ રાચતં- અને અત્યંત પાપવંતે પ્રત્યે પણ, લુબ્ધક-શિકારી આદિ પ્રત્યે પણ સંઘર્મનિcવટF-અત્યંતપણે સ્વકર્માથી હણાયેલા એવા, અનુવવ વેણુ-સો પ્રત્યે અનુકંપા જ, ચાડ્યા ન્યાય છે. –નહિં કે મત્સર, વડગમુત્તમ-આ ધમ ઉત્તમ છે,કારણમાં કાર્યના ઉપયોગથી. * “ तदासनाद्यभोगश्व तीर्थे तद्वित्तयोजनम् । तद्विम्वन्याससंस्कार ऊर्ध्वदेहक्रिया परा॥" – શ્રી ગબિંદુ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy