SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ માહિઃ મહત પુરુષને માગ, ઉપસંહાર (૪૪) અર્થ –અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાચ્ય છે,- આ ધમ ઉત્તમ છે. વિવેચન “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ”શ્રીમદ્ રાજચંદ્રજી અને પિતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા જ ન્યાપ્ય છે-આ ધમ ઉત્તમ છે. મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હેય એમાં તે પૂછવું જ શું? પણ શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જીવો પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યા છે–ન્યાયયુક્ત છે. તેના પણ દયા પ્રત્યે ઘણા રાખવી કે તિરસ્કારની દૃષ્ટિથી જેવું એ યોગ્ય નથી, કારણ કે એ બિચારા પામર જી અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી છે તે અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકર્મોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છૂટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તે તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધમ ઉત્તમ છે. તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાન.” તુલસીદાસજી પરહિત એ જ નિત હિત સમજવું, અને. પરદુ:ખ એ પોતાનું દુઃખ સમજવું.” “પ્રભુ ભજે, નીતિ સો, પરઠો પર પકાર.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ ( ૧ ) પરપીડાવજન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, ( ૪ ) પાપીની પણ અનુકંપા-આ ધર્મ ઉત્તમ છે. આ મહત્ પુરુષને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજનેએ આચર્યો છે, જે દર્શાવ્યું છે, તેને જ અનુસરવું એ જ યથાત્યાય વત્તન છે. | રિ મધુમાડપિs: 1 --- DR =
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy