SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [૨૯ એને કદી ન થાય. અને તેા મનમાં થયા જ કરે, કયારે બીજી સવાર પડે અને પોતે ક્રિયા ફરી વાર આદરી બેસે. આ વૃત્તિ અમૃતક્રિયા કરનારની, અસંગ અનુષ્ઠાન કરનારની હેાય, અને એના ચિત્તની પ્રસન્નતા એટલી પુષ્ટ હાય કે એને, મહાન ઋદ્ધિ પ્રાપ્ત થતાં જેવા આનંદ સંસાર-રસીઆને થાય છે તેવે, બલકે તેથી પણ વધારે નિજાનંદ, કોઇ પણ પ્રકારના ઢાંગ કે આડંબર વગર થયા કરે. પ્રીતિના આખા તત્ત્વજ્ઞાનનું રહસ્ય, ટૂંકામાં કહીએ તા, એ જ છે કે વ્યાવહારિક-સાંસારિક સ્થૂળ પ્રીતિ એ થોડા વખત માટેની છે, અને સાપાધિક છે. ખરી પ્રીતિ કરવી હાય તે પહેલાં પ્રીતિને ઓળખવી, પ્રીતિના પ્રકાર જાણી લેવા, એમાં જે સ્થાયી પ્રીતિ હેાય તે સ્વીકારવી અને એવી પ્રીતિમાં આનંદઘનપદની રેખા છે એમ સમજી એને સ્વીકાર કરવે. આ પ્રમાણે પ્રીતિનું આખું રહસ્ય સમજી સાચી, સ્થાયી, અખંડ પ્રીતિ કરવાની વાત બહુ સ્પષ્ટ રીતે કરી છે. તેની ચેખવટમાં આખા ક્રિયાયેાગનું રહસ્ય લાવી શકાય તેમ છે. તેમાંની ઘેાડી વાત અત્ર રજૂ કરી. છેવટે ‘આનંદઘન ’ શબ્દ ખૂબ વિચારણા માગે છે. તે પર પ્રાસંગિક જરૂરી વિચાર કરી લઈએ. સાંપ્રદાયિક હકીકત એમ સંભળાય છે કે આ સ્તવન કરનારનું સાધુ તરીકેનું નામ લાભાનંદ હતું, પણ પાતે જે કૃતિએ કરી છે તેમાં આનંદઘન શબ્દનો ઉપયોગ કર્યાં છે. આ વાત બરાબર છે એમ સ્વીકારી આ ‘ આનંદધન’ શબ્દમાં શે! ચમત્કાર છે, એની પાછળ શે ઇતિહાસ છે, એ પર વિચારણા અને સ`શેાધન કરી આનંદ શબ્દના રહસ્યને પકડવા પ્રયત્ન કરીએ. (૧) એગસ્ટ, ૧૯૪૭
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy