SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૭ ૭ : શ્રી સુપાર્શ્વ જિન સ્તવન અર્થ—આ ભગવાનમાં શિવપણું છે, કારણ કે તે કર્મના ઉપદ્રવને નિવારનાર છે તે શંકર છે, કારણ કે મહાકલ્યાણના કરનાર છે. તેમનામાં જ્ઞાનનો આનંદ હોઈ જાતે ચિદાનંદસ્વરૂપ છે. અને ઐશ્વર્યવાળા હોવાથી જાતે ભગવાન છે. વળી, તેઓ શત્રુને જીતનાર હોવાથી જાતે જિન છે, અને કમરૂપ શત્રુને જીતનાર હોવાથી પિતે અરિહંત છે. અને તીર્થના ચલાવનાર હોવાથી તીર્થકર છે. વળી, તેઓ જાતે જ જ્યોતિ સ્વરૂપ છે, તેજવંત છે અને તેમની સાથે સરખાવી શકાય તેવું અન્ય કેઈ ન હોવાથી અસમાન છે. (૩) ટબે–શિવ નિરુપદ્રવ છે, શંકર કહેતાં સુખકારી છે. ત્રણ જગતને ઈશ્વર–સ્વામી છે, પપકારી છે. ચિદાનંદ એટલે જ્ઞાનરૂપી છે. ભગવંત જ્ઞાનમાહાભ્યરૂપ યશ વીર્યવંત છે, ઘણા શ્રેષ્ઠ છે, રાગાદિક જીતનારા છે તેટલા માટે જિન કહેવાય. સકળ જગતના દ્રવ્ય-ભાવપૂજાને યોગ્ય માટે અરિહંત છે. તીર્થકર કહેતાં ચાતુર્વણ્ય, દ્વાદશાંગી, પ્રથમ ગણધર કરવા માટે તીર્થકર તિસ્વરૂપ છે. કોઈની તિના ઉપમાનનું કામ નથી. (૩). વિવેચન–હવે આ પ્રભુ અનેક નામને યોગ્ય છે, તેમાંથી થોડાં નામે બતાવી તે કેવી રીતે તેઓ એ નામને યોગ્ય છે તે આપણે વિચારીએ. એ વિચારણાથી પ્રભુ તરફનો તમારે સેવાભાવ વધારે જાગ્રત થશે અને તમે તમારી ફરજ બજાવતા થશે. આ પ્રભુ કર્મના ઉપદ્રવને અટકાવનાર હોવાથી તેઓ શિવ નામને યોગ્ય છે. શિવ એટલે કર્મની પીડાના નિવારક. શિવ એટલે ઉપદ્રવ નિવારક. આ ભગવાન પોતે શિવ છે, કારણ કે તેઓ કર્મની પીડાનું નિવારણ કરનાર છે. આ દુનિયા જેને શિવ કહે છે તે તે સંહાર કરનાર છે, પણ ભગવાન પોતે કર્મના ઉપદ્રવનો અટકાવ કરનાર હોવાથી તેઓ શિવના નામને મેગ્ય છે. તેથી આપણે ભગવાનને ભજતાં સારા શિવને ભજીએ છીએ. શંકર પણ ભગવાન પોતે જ છે. જેઓ “શ” એટલે સુખ, તેને કરનાર હોય તે શંકર, ભગવાન નિત્યકાળનું સુખ કરનાર હોવાથી શંકરના નામને કે વિશેષણને બધી રીતે યોગ્ય છે. એ ભગવાન “જગદીશ્વર”ના નામને લાયક છે, કારણ કે તેઓ ખરેખરા જગતના ઈશ્વર છે. ઈશ્વર એટલે રાજ્ય કરનાર. તેઓ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણે જગતના ઉપરી હેવાથી, તેઓ જગદીશ્વર કહેવાય છે, અને તેઓને જગદીશ્વર તરીકે ભજવા-માનવા-પૂજવા તે સર્વ રીતે યોગ્ય છે. તેઓનું આશ્વર્ય પણ ઈશ્વરના જેવું હોવાથી તેઓ ખરા જગદીશ્વર છે. વળી તેઓ જ્ઞાનાનંદમય હોવાથી ચિદાનંદના નામને યોગ્ય છે. સાતમા સુપાર્શ્વનાથ ભગવાન પિતે ભગવાન છે. ભગ શબ્દના ચૌદ અર્થો આપવામાં આવ્યા છે (આ માટે જુઓ બારસાની ટીકા-વિનયવિરચિત), તેમાંથી સૂર્ય અને નિ એ બે અર્થ છોડી દઈને બાકીના બાર અર્થ તેઓને લાગુ પડે છે. સુપાર્શ્વ નાથને “જિન” એટલે વિજય કરનારનું જે બિરુદ છે તે તદ્દન એગ્ય છે. તેઓએ પિતાની જાત પર, કામ-ક્રોધાદિક પર, રાગદ્વેષ અને મેહ પર એવી જીત મેળવી છે કે તેઓ જિન તરીકે આ દુનિયામાં ખ્યાતિ પામ્યા છે. શ્રી સુપાસનાથ ભગવાન શત્રુને હરાવનાર હોવાથી અરિહંત છે. તેઓએ કર્મશત્રુઓ પર વિજય મેળવેલ હોવાથી તે સાચી રીતે અરિહંત છે. અરિ એટલે શત્રુ, તેને હણનાર અરિહંત કહેવાય છે. શ્રી સુપાર્શ્વનાથે પિતાનું તીર્થ પ્રવર્તાવેલું
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy