SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ 510 ધન્યકુમાર ચરિત્ર. કરતાં ઘણે કાળ ગયે, ત્યારે શ્રીદેવને ઘેર એક સુલક્ષણવાળા પુત્ર જ. તેના પુણ્યબળથી પાછી લક્ષ્મી ધીમે ધીમે આવવા લાગી; તેથી પૂર્વની જેમ વ્યાપારાદિ કરવા લાગ્યા, અને તે જ પ્રમાણે લ ક્ષ્મીનું પૂજન કરવા લાગે, વળી પાછું લક્ષ્મીના આગમનથી ફરીથી લેકમાં તે માનનીય થયેલેકેની પાસે તે બેલતે કેજુઓ, લક્ષ્મીદેવીની ભક્તિનું ફળ !" આ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી ભેગાસક્ત એવા શ્રીદેવે બીજી સ્ત્રી સાથે પાણિગ્રહણ કર્યું. તે સ્ત્રીને ઘેર લાવે, ત્યારબાદ બે દિવસ પછી રાત્રિએ એક ઉત્તમ પલંગમાં સુતે હતો ત્યારે એક ઉત્તમ તરૂણીને તેણે રોતી દીઠી. ત્યારે શ્રીદેવે તેની પાસે જઈને પૂછ્યું કે–તું કેણ છે? તારે શું દુઃખ છે? શા કારણથી તું રૂદન કરે છે?” તેણીએ કહ્યું કે–“હું તારી ગૃહલક્ષ્મી છું. મારી ઈ છા નહિ છતાં પણ મારે તારે વિયેગ કરે પડશે, તે મારા રૂદનનું કારણ છે.” શ્રીદેવે પૂછયું કે-“કેમ? લક્ષ્મી બેલી –“જે તું બીજી સ્ત્રી પરણી લાગે છે, તે સ્ત્રી પુણ્ય રહિત, લક્ષ્મીને અભાવ કરાવે તેવી નિર્ભાગી છે. તેની સાથે હું તારે ઘેર વાસ કરીને રહી શકીશ નહિ. તેના પાપોદયથી મારામાં તારે ઘેર રહેવાની શક્તિ રહેતી નથી. નહિ ઇચ્છા છતાં પણ મારે તારું ઘર છોડવું પડશે.” તેમ કહીને લક્ષમીદેવી અદૃશ્ય થઈ ગઈ. ત્યાર પછી થોડા દિવસમાં ધીમે ધીમે લક્ષ્મી નાશ પામવા લાગી. ફરી વાર પાછું દારિદ્ર આવ્યું, ફરીવાર પાછો પૂર્વની જેમ લે કે માંહાંસીનું કારણ છે. પરસેવા વિગેરે મહા દુઃખરૂપી સંકટમાં તે પડ્યો અને ઉદરપૂર્તિ પણ કષ્ટથી કરવા લાગે. આ પ્રમાણે દુઃખે આયુ પૂર્ણ કરીને સંસાર અટવીમાં તેણે અનેક પરિભ્રમણ કર્યું. ઈતિ શ્રીદેવ કથા..
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy