SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર. દેવડમાં કુશળ તથા ચીની ઉત્પત્તિ, ગુણ, મેળવણી વિગેરેથી જાણતા હતા તે બધાએ તે પિતાપિતાની ઇચ્છિત વસ્તુ પ'સંદ કરી લીધી અને તે વસ્તુ લઇને પિતાનું કામ કાઢી લીધું કે અને આપના માનીતા પુત્ર તે બીજાએ છોડી દીધેલા, કોઈએ છે પિતાના નહીં કરેલા, નાખી દેવાની ધુળ તથા મીઠાથી ભરેલા લેટકા વેચાતા લઈ આવ્યા. વળી આ મીઠું પણ એનું નથી, 3 મીઠાને વેપારી હોય તે તે પણ આને હાથ લગાડે નહિ. ભાઈ સાહેબે કેવળ ધુળથી ઘર ભર્યું. હવે મીઠાને નિકાસ પણ આપણે કેવી રીતે કરશું ? જે તેની જેવા અજ્ઞાન બાળકથી વેપાર કરીને ઘરને નિર્વાહ થઈ શક્યો હોત તે પછી હુંશિયાર માણસની સામું પણ કોણ જોત? ગુણવાનની પરીક્ષા તે અવસરેજ થાય છે. કાકાલીય ન્યાયથી કદાચ એક બે વાર મૂર્ખ કરેલ સાહસથી પાંસરું પડી જાય પણ તેટલા ઉપરથી પિતાજી! ખુશી ખુશી થે ઈ જઈને તેની પ્રશંસા કરી તેને ફુલાવે એ કાંઈ ઠીક ન કહેવાય. A પીઢ માણસને કરવા યોગ્ય કાર્યને અવસર પ્રાપ્ત થતાં તેજ પ્રશંસા લેકેને નિંદા કરવાના સાધનભૂત થઈ પડે છે. આ બા= ળકે મીઠું, ધુળ વિગેરે ખરીદી આપણા ઘરનું નાક કાપી ના / પ્યું. રાજાને દેવાનું દ્રવ્ય તે જલદી આપવું જ પડશે, અને આ 9) મીઠાની ખપતી તે જે દિવસ દુનિયામાં મીઠાની તાણ પડશે તે દિવસેજ થશે, સમજ્યા? લેકમાં કહેવત છે કે-લંકા લુંટવાને \પ્રસંગ આવ્યું ત્યારે ભાગ્યહીન માણસના હાથમાં ફક્ત અંગારાજ આવ્યા, માટે આપ તથા આપને પુત્ર મળીને વિચાર કરી જુઓ કે આ વેપારમાં લાભ કેટલે મળશે ? " પુત્રને આ પ્રમાણે હાસ્ય કરતાં જોઈને જરા શંકાશીલ મને
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy