SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવ. 95 ધનસારે ધન્યકુમારને પૂછયું કે,–“પુત્ર! વહાણમાં બીજી ઘણી ચીજ વેચવાની હતી, છતાં તું આ ધુળ તથા માટીથી ભરેલા લટકાઓ શા માટે લઈ આવ્યું ? પિતાનું વચન સાંભળી ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આપે કે–“પિતાજી ! આપના ચરણના પ્રતાપે દરિદ્રતા રૂપી વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેઠીઆઓ આ વસ્તુના પ્રભાવથી 'અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઇથી મારે, માથે ઓઢાડી દેવા તૈયાર થઈ ગયા.પણ મેં તે ગુરૂસેવાના પ્રતાપે આ વસ્તુને પ્રભાવ સમજી જઈને તેને સ્વીકાર કરી લીધે છે. હવે આપ તેને પ્રભાવ સાંભળે. આ માટી તમે સામાન્ય ન સમજતા, એન રેપર્શથી તે લદ્દે પણ સેનું બની જાય એવી આ માટી છે. આ તે પ્રાર્ધ પાષાણની ખાણમાંથી મળી આવતી, દુનિયાના દરિદ્રને હરનારી તેજમેરીકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પૂર્વ તાબાને તેની સામે એકરૂપ કરવાથી તાંબાનું સોનું બની જાય છે. આ પ્રમાણે કહીને તેજ વેળાએ ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાંબા તથા લેઢાનું સેનું કરી બતાવ્યું. પછી એમ વારંવાર કરીને કરેડો રૂપીઆનું સનું બનાવ્યું, તેથી તેના માબાપ બહુ ખુશી થયા. માત્ર તેના મેટા ત્રણ ભાઈઓ શિવાય સર્વ પરિજન તેની પ્રશંસા કરવા લાગ્યા. માત્ર તેઓ હૃદયમાં ઈર્ષ્યાથી બળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ચાડિઆ માણસે રાજા પાસે જઈને કહ્યું કે સ્વામી ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને ને જીવી કિંમત આપીને તેજમતરિકાથી ભરેલા ટકાએ લઈ ગયે છે,
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy