SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી પ્રસન્નતા તો પરમાત્માએ ભાખેલા માર્ગમાં જ છે. જેમ જેમ ધર્મને અંતરથી આવકારતા જશો તેમ તેમ ચહેરો આપોઆપ પ્રસન્ન થઈ જશે. આ પોલિસીની મૂળ વાત આટલી જ છે કે પાપોદયમાં પણ મોટું હસતું હોવું જોઈએ. બગીચામાં મુલ્લા નસરુદ્દીન હસતા હતા. કોઈ કારણ વગર મુલ્લા નસરુદ્દીનને ખા-ખા, ખી-ખી કરતા જોઈને કોઈકે પૂછ્યું - કેમ મુલ્લાજી ! આજ સવાર-સવારમાં અમસ્તા હસે રાખો છો ?" મુલ્લાજીએ કીધું - “શું કરું? મારી પાસે ઘર નથી. ગઈ કાલે કોઈના મોઢે સાંભળ્યું કે હસે તેના ઘર વસે. એટલે આજથી આ હસવાનું ચાલુ કર્યું છે.' આ રીતે હસવાથી સિમેંટના ઘર ભલે ન વસે. પણ જો તમે હસતો ચહેરો રાખી શક્યા તો સિમેંટના ઘરની અંદર ખરેખરા “ઘર'નું સર્જન શક્ય બનશે. બાકી, ઘરમાં સ્મશાન જેવી શાંતિ જ હશે, ઉદ્યાનનો ઉલ્લાસ નહીં. તમારા ચહેરા હસતા નથી. માટે જ ઘરનું વાતાવરણ પણ હસતું નથી. જો ચહેરા હસતા રાખશો તો તમારા ઘરની અંદર આવનાર સોગિયો માણસ પણ હસતો થઈ જશે. તમે ફોટો પડાવવા જાઓ ત્યારે ફોટોગ્રાફરે તમને “સ્માઈલ પ્લીઝ !" આવું શા માટે કહેવું પડે છે ? કારણ કે તમારો ચહેરો પ્રસન્ન નથી હોતો. હવે તમારો ચહેરો એવો હોવો જોઈએ કે ફોટોગ્રાફરને “સ્માઈલ પ્લીઝ !! - કહેવું ન પડે. સ્વાભાવિક રીતે જ તમારો ચહેરો પ્રસન્ન પ્રસન્ન જ લાગે. કોઈ પણ અવસ્થામાં તમારા ચહેરા ઉપર એટલી બધી પ્રસન્નતા રેલાતી હોય કે કોઈને પણ તેનો ફોટો પાડવાનું મન થઈ આવે ! એક વાર આવો ચહેરો બનાવી લો. પછી જુઓ કે કેટલી પ્રસન્નતા તમને મળે છે. ગુસ્સો તો રવાના જ થઈ જશે. તમારી બાજુમાં આવનારને પણ અજબ પ્રસન્નતા અનુભવાશે. પણ, આવા વાતાવરણને તમારે જ જમાવવું પડશે. તેને ટકાવવું પડશે. તેના માટે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્નતાથી ભર્યો ભર્યો હસતો ચહેરો રાખવો પડશે. આજે સંયુક્ત કુટુંબો વિભક્ત થયા. કોઈ ભેગા રહી શકતા 334
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy