________________ ઉપર પ્રવચન આપતા ત્યારે બાદમાં એ પ્રસંગની ચર્ચા નગરમાં આખો દિવસ થયા કરતી. વિષય અનુરૂપ સંખ્યાબંધ દાખલાઓ- ઐતિહાસિક તથ્યો આપી ક્ષમા-ઉદારતા-શુભસંકલ્પો-પ્રેમ-ભક્તિ-મૃદુતા-અહિંસાસંતોષ-દયા-આનંદ-શાલિનતા સહિતના ઈષ્ટ ગુણોને જીવનમાં કેમ પાંગરવા દેવા, જ્યારે ઈર્ષ્યા-લોભ-ખૂન્નસ-ક્રોધ-અદેખાઈ-શઠતાતિરસ્કાર-હિંસા-વૈર જેવા અનિષ્ટ તત્ત્વોને જીવનમાંથી કેમ ખદેડી નાખવાની જે વાત પૂ.મ.સા. કરે છે એ માત્ર જૈનો પૂરતી સીમિત નથી, પરંતુ માતૃભૂમિને પરમ વૈભવ ઉપર લઈ જવા માટેના–રાષ્ટ્ર નિર્માણની વિભાવનાના ટગમગ થતા દીવામાં ઘી પૂરવા સમાન બની જાય છે. અધ્યાત્મ જગતની વાત શિક્ષણ સંસ્થાઓ તરફથી થવી જોઈએ. કમનસીબે એવું થયું નથી... રમકડાં બનાવતી - લીયો કંપનીના 1 થી 5 વર્ષની ઉંમરના બાળકો કયું રમકડું સૌથી વધુ પસંદ કરે છે ના સર્વેમાં બહાર આવ્યું છે કે - રિવોલ્વર... કંપનીના વર્તુળો જ નહીં પણ સમાજશાસ્ત્રીઓ સર્વેના આ તારણથી ચોકી ઉઠ્યા... જ્યારે સામા છેડે આશ્વાસન લેવા જેવું એ છે કે હજુ દેશમાં સમાજમાં યશોવિજયજીઓ વિદ્યમાન છે. અંધકારમાં એક પ્રકાશ જેવી વાત એ છે કે ધર્મ શાસ્ત્રો જે વાત હજારો વર્ષથી કરે છે એ જ વાતોને સમર્થન વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાઓ આપતી થઈ છે. ફરીથી મૂળ મુદ્દા ઉપર આવીએ તો 70 પોલિસી પ્રસ્તુત - પોલિસી' પુસ્તકમાં અધ્યાત્મ-ધર્મજગતમાં ડગ માંડનારા સૌને માટે લગભગ રજા લઈ ચૂકેલી સંવેદનાનું પુનઃ સ્થાપન કરશે જ. સાથેસાથે ચોધાર આંસુએ રડતી કોઈ વ્યથિત વ્યક્તિને ખભે હાથ મૂકતાં જો મારી અને તમારી આંખના ખૂણા ભીના થાય તો પણ પૂ.યશોવિજયજી મ.સા. નો જબ્બર પુરુષાર્થ લેખે લાગશે. પૂ.મ.સા. ના મુંદરા (કચ્છ) ના ચાતુર્માસ દરમ્યાન અનેક ઐતિહાસિક સુવર્ણપૃષ્ઠો લખાયા છે. પોલિસી' નું વારંવાર વાંચન કરવાથી જીવન માં તેનું અમલીકરણ આપોઆપ થઈ જ જતું હોય છે. પુસ્તકને સળંગ વાંચવાની પણ જરૂર નથી. ગમે તે પોલિસી ગમે ત્યારે, ગમે તે સ્થળે અને સમયે વાંચી શકાય છે. પણ - “ગમે તેમ વાંચવું 10