________________ શુદ્ધતા-વિચાર શુદ્ધતાનું વિશેષ મહત્ત્વ એટલે જ તો આપણા પૂર્વસૂરિશ્રીઓએ વારંવાર ઉચ્ચાર્યું છે. પોલિસી' - પુસ્તકના પ્રકરણોમાં કોઈને પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મળે છે, શંકાનું સમાધાન દેખાય છે, તો કોઈને પોતાની માન્યતાનું સમર્થન કે ખંડન જોવા મળે છે. નિરાશા, હતાશા કે નિષ્ફળતાને ટીંગાળવાની ખીંટી જોવા મળે છે. સત્ય-અર્ધસત્ય અને અસત્ય વચ્ચેના ભેદ પારખવાની દૃષ્ટિ મળે છે. આ પુસ્તક આશ્વાસન અને ઉત્સાહ આપનારું, લોલક જેવી સ્થિતિમાં રાચતા મનને દિશા સૂચન કરનારું તો પૂર્વેના ધર્મગુરુ કે ગુરુ ભગવંતના કથનમાં વિશ્વાસના ખીલા ખૂંચાડનારું બની રહ્યું છે. પોલિસી’ સંસ્કાર સિંચન માટેનું શ્રેષ્ઠ સાધન બન્યું છે. ક્યાંક અકલ્પનીય વળાંક લેતું દૃષ્ટાંત, તો ક્યાંક મૂછમાં હસાવી જતો વ્યંગ તો ક્યાંક કરણાંતિકા તો ક્યાંક પ્રસંગના અંત તરફ વાચક ને ઢસડી જતો તેજીલો પ્રવાહ, છેવટે તો મૂળભૂત હેતુ ઉપર વિજય ધ્વજ ફરકાવી જાય છે. પૂ.મ.સા. આમ જોવા જઈએ તો ઝાડની ઓથે - એંધાણીએ ચન્દ્રદર્શન કરાવવાનું લક્ષ્ય ધરાવે છે. આપણાં સૌનો એ અનુભવ છે કે ક્ષિતિજમાં બીજના ચન્દ્રને શોધવા ગોથા ખાતી વ્યક્તિને એક વખત ચન્દ્ર દર્શન થઈ જાય બાદ એની નજર ત્યાંજ જશે જ્યાં ચન્દ્ર છે. તકલીફ તો પ્રથમ વખત ચન્દ્રને જોવા માટેની છે. પછી તો દૃષ્ટિ જ ત્યાં સ્થિર થશે.. પ.પૂ. બાબુભાઈ રાણપરા (પૂ.દયાળુ) વાતચીતમાં કહેતા હોય છે કે - “ગમ ન પડે તોય ગોતો, જડી જશે.” 70 પોલિસીઓનું સતત વાંચન વ્યક્તિઘડતરમાં - ચારિત્ર્ય નિર્માણમાં અને જવાબદાર, સજન, ગણમાન્ય વ્યક્તિ બનવા માટે પૂરતું છે. મિત્રો ! મહેંદી વેચનારા પોતાના હાથને ક્યાં રંગ લગાવે છે ? એવી જ રીતે માનવ અવતારનું મૂળભૂત લક્ષ - અધ્યાત્મ જગતના શિખરે પહોંચવાનો રંગ તો આ પુસ્તકના વાંચન માત્રથી આપોઆપ લાગી જ જાય છે. જ્યારે મુંદરા તપગચ્છ જૈન ઉપાશ્રયમાં પૂ.મ.સા. આ પોલિસીઓ