SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 168 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - આ ઉપદેશકેના બે વર્ગ હતા. એક વર્ગ સન્યાસી હતા અને તે ઈક મતના સાધુ કહેવાતા. આ સાધુઓ સિનિક હતા. આ વર્ગ કુંવારે. રહે અને તેમને ઉદ્દેશ માત્ર લેકેને ઉપદેશ આપવાનો હતો. આ સાધુઓ રહેણી કરણીમાં સાવ સાદા, દુનિયાની દરેક મોજમજાથી દૂર રહેનારા અને છતાં સ્વભાવે આનંદી અને સંતોષી રહેનારા હતા. દરેક માણસને રસ્તામાં હિંમતથી રોકીને પણ ઉપદેશ આપવાને તે પિતાને હક ગણુતા; અને તેમાં મૃત્યુ કે દુઃખને વિચાર પણ તેઓ કરતા નહિ. બીજે વર્ગ તાત્વિક વક્તાને હતા. આ વર્ગનું વતન સન્યાસી વર્ગથી સાવ ઉલટું જ હતું. અંગ ચેષ્ટામાં કુશળ અને પિશાકની દરેક નાની બાબતમાં પણ સંભાળ અને શોખથી લેકેનું મન હરવામાં ચતુર એવા આ. વક્તાઓના ભાષણમાં લેકેને રસ પડત. મોટે ભાગે તેઓ બુદ્ધિમાન કે નીતિમાન નહોતા; તેથી તેમની સફળતા બતાવી આપે છે કે એ વખતે લોકે બુદ્ધિમાં અને નીતિમાં કેવા ઉતરી ગયા હતા. ઘણીવાર તે તેઓ નાટકીય ભાષણ આપતા અને નિર્જીવ વાતો વિષે પણ લાંબુ લાંબુ બેલી લેકેને મેહ ઉપજાવતા. ગામેગામ મુસાફરી કરી તેઓ વાદવિવાદમાં ઉ. તરતા અને આડાતડા પ્રશ્ન પૂછી આગલાને મુંઝવી દેતા. ઘણાખરાએ પૈસે પુષ્કળ મેળવ્યો હતો અને મુસાફરીમાં ભપક અને મેટે રસાલે તે રાખતા. તેમને જોઈને લોકો ખુશ થઈ જતા, અને તેથી જ તેના વિચાર ઉપર ભારે અસર કરવા તેઓ શક્તિમાન થતા હતા. કેટલાક તત્ત્વવેત્તા પિતાના સિદ્ધાંતને બંધ કરવા વક્તાને ધંધે કરતા હતા અને તેથી આ વર્ગને સ ધ ઇક મતની સાથે જોડાયો. આવા ઔઈક વક્તાઓમાંથી બે ચાર તે બહુ સારા નીકળ્યા હતા અને લેકેની દાઝ જાણું ઉત્તમ બોધ તેઓ આપતા. પરંતુ બુદ્ધિબળને જમાનો હવે અસ્ત થયો હતો, અને એકંદરે તે વર્ગ બુદ્ધિમાં નિર્માલ્ય હો; અને વિદ્વત્તાના દંભ અને ડળમાં કાળક્ષેપ કરતે. તેમના બધા વિચારનું વલણ પશ્ચાતદેશ અને પ્રાચીન હતું. વાતચિતમાં રૂઢિ-બ્રણ અને અપરિચિત
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy