SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિધમી મહારાજ્ય 167 પિતાના ભેગે શેઠની જીદગી તેઓ બચાવતા. તેથી કરીને કહેવાય છે તે જુલમ તેમના પર થતો હોય એ વાત સંભવિત લાગતી નથી; તેમ, તેમની સ્થિતિ એટલી બધી ભ્રષ્ટ પણ નહિ હોય. વળી બઘા તત્વો ગુલામ ઉપર દયા રાખવાને ઉપદેશ આપતા. સ્ટઈક મતવાળા પણ એવો જ ઉપદેશ આપતા. માણસ સ્વતંત્ર માત્ર સદાચારથી જ બની શકે છે. સેનિકા કહેતે કે વાસ્તવિક રીતે સદાચારી ગુલામ શેડ છે અને દુરાચારી છે. ગુલામ છે. માટે સારા માણસે ગુલામ પ્રત્યે ખરાબ વર્તણુક રાખતાં બહુ વિચાર કરે ઘટે છે. આવા આવા ઉપદેશથી ગુલામ પ્રત્યે દયાની લાગણી રહેવા લાગી હતી. છે તેથી કરીને કાયદા થવા લાગ્યા અને ગુલામની સ્થિતિ સુધરવા લાગી. આ તેમની ત્રીજી અવસ્થા. ન્યાયાધીશે સજા કરી હોય તો જ તે ગુલામને જંગલી પ્રાણીઓ સાથે લડાઇમાં ઉતારવે, નહિ તે નહિ; એ કાયદે થયો. વૃદ્ધ કે માંદા ગુલામને શેઠ રખડત મૂકી દે અને તે સાજે થાય તો તે સ્વતંત્ર થતા. શેઠની સામે ગુલામેની ફરિયાદ સાંભળવા નીરના સમયમાં એક ન્યાયાધીશ ખાસ નીમાણે હતો; અને શેઠ ગુનેગાર માલમ પડે તે શેઠને સજા કરવાની તેને સૂચના હતી. પ્રસંગે પ્રસંગે ગુલામના રક્ષણ માટે કાયદા થતા ગયા અને ગુલામની સ્થિતિ આમ સુધરવા લાગી હતી. આ પ્રમાણે સ્ટોક મતનાં ઘણાં સૂત્રો કાયદામાં રૂપાંતર પામી ગયાં. પરંતુ રેમના તત્ત્વવેત્તાઓ બીજી કેટલીક સીધી રીતે પણ લેકે ના આચરણને કબજામાં રાખતા હતા. મરતી વખતે માણસે ચિત્તના સાંત્વન અને હિંમત માટે તત્ત્વવેત્તાઓને પાસે રાખતા; અને તેમના મુઆ પછી આ તત્ત્વવેત્તાઓ તેમના કુટુંબને દિલાસો દેતા. વ્યવહારમાં માણસોની ગુંચવણ અને મુશ્કેલીને તડ પણ તેઓ કરી આપતા; અને માણસ જોઈને તે પ્રમાણે ખરો ઉપદેશ તેઓ આપતા. વળી લોકોને કેળવણું આપવાનું કામ મોટે ભાગે તેમના હાથમાં રહ્યું હતું, અને મોટાં મોટાં કુટુંબોમાં ઘણું કરીને અકેકે તત્ત્વવેત્તા રાખવામાં આવતો. વળી સામાન્ય લેકોને ઉપદેશ આપવા ઉપદેશની સંસ્થા ઉભી થઈ અને તે ઘણી વિસ્તાર પામી.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy