SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 166 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ મેળવવાના સાધનરૂપ ગુલામ ગણુતા અને ઘરડા અને નિર્મળ ગુલામને લેકે વેચી દેતા. બીજી અવસ્થામાં ગુલામની સ્થિતિ બહુ બગડી ગઈ હતી. ચારે તરફ રોમને વિજય થવાથી અસંખ્ય ગુલામે રોમમાં આવવા લાગ્યા, અને મોજ શેખ અને વિલાસ વધી ગયે. રેમનું સાદું જીવન હવે જતું રહ્યું હતું અને ધર્મની ધાસ્તી પણ મટી ગઈ હતી. વળી તરવારના પ્રાણઘાતક ખેલ શરૂ થયા હતા અને તેથી બીજાના દુઃખની લાગણી લેકામાં રહી નહિ. અધુરામાં પૂરું સિસિલીમાં ગુલામોએ બળવો કર્યો અને હજારે ગુલામને રસી નાખવામાં આવ્યા અને તેમના ઉપર જૂલેમ થવા લાગ્યો. મેહેમાનની ગમતને માટે ગુલામને મારી નાંખવામાં આવતું. પિલિઓ નામને રોમન ગુલામનું માંસ પિતાનાં માછલાને ખવરાવતે. રેમની સ્ત્રીઓ તેમના માંસલ ભાગમાં લાંબી ટાંકણીઓ ઘેચી ગમત મેળવતી. ગુલામેનાં લગ્ન કાયદાસર ગણુતાં નહિ. તેથી દુરાચાર પણ તેમનામાં વધી પડો. બીજી તરફથી જોતાં તેમને સારી રીતે રાખ્યાના પણ દાખલા મળી આવે છે. ગુલામનાં લગ્ન છે કે કાયદા પૂર્વક ગણાતાં નહિ, તથાપિ લગ્નને રીવાજ તેમનામાં હતું. વળી તેમની ખાનગી મિલક્ત તેમની પાસે રહેવા દેવામાં આવતી. વળી ઉદ્યોગ અને સારી વર્તણૂકવાળે ગુલામ છવર્ષમાં ઘણું કરી છૂટ થઈ જતા. વળી ગુલામે ઉપર જે જુલમ કરતો તેને લેકે ધિકારતા અને તેનું અપમાન કરતા. કેટલાક ગુલામ વૈદ્ય હતા અને પ્રેમથી પિતાના શેઠની મંદવાડમાં માવજત કરતા. કેટલાક ગુલામ શેઠના છોકરાને ભણુવતા. ઘણુંખરા ગુલામ કારીગર હતા. શેઠના કુટુંબમાં તેઓ ભળી જતા; અને શેઠ અને ગુલામ વચ્ચે મૈત્રી જામ્યાના દાખલા પણ મળી આવે છે. એપિકટેટસ પિતે ગુલામ મટી શહેનશાહને મિત્ર થયો હતો. વળી તેમની સંખ્યા વધી પડવાથી તેમને માથે પડતે બોજો વહેંચાઈ ગયો હા જોઈએ. ગુલામની સાક્ષી લેતાં જે કે એને રીબાવવામાં આવે છે, પણ એવા બનાવ કવચિત બનતા; અને ઘણી વખત પિતાના શેઠને તેઓ નિમકહલાલ રહેતા; અને ભયમાંથી તેમને બચાવી લેતા. કેટલીક વખતે તે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy