SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અર્થાત્ જે ઈશ–તત્ત્વ, આ વિશ્વમાં અણુ-પરમાણુમાં ભરેલ છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સંસારથી વૈરાગ્ય થાય છે. પ્રાણીમાત્રના શ્વાસ-ઉચ્છ્વાસમાં ‘ સ: ’ અને ‘ હુ‘’ની ધ્વનિથી યા કરે છે, એની ૐ યુક્ત પ્રતિમા ‘સેઽહમ્ ’ છે. સાડહમની અન્ય વિશેષતાઓ પાશ્ચાત્ય દેશની ઉન્નતિનું મુખ્ય કારણ એના વિચારાની મૌલિકતા છે. મૌલિકતાનું ક્ષેત્ર એકાગ્રતા છે. અને એકાગ્રતાની સિદ્ધિને મા- ‘સેઽહમ' એ નિઃસંદેહ અદ્વિતાય મંત્ર છે. ખીજા મંત્રાને જપ કરતી વખતે મન અહીં તહીં ભટકયા કરે છે, જપ કરવાવાળાને પૂર્ણ અનુભવ થાય છે કે, પ્રયત્ન કરવા છતાં પણ મન સ્થિર થતું નથી. પર`તુ ‘સાઽહમ્'ના જપથી મન એકદમ સ્થિર થઈ જાય છે. મનના શ્વાસ-પ્રશ્વાસ સાથે પ્રગાઢ સબંધ છે, જેટલેા જલદી, જલદી શ્વાસ ચાલે છે. એટલું જ મન પણ ચંચળ રહે છે. મન જેટલુ ચંચળ રહે છે તેટલુ જ મન અપ્રસન્ન રહે છે, કેમ કે ચંચળતાથી ગભરાટ અને ગભરાટથી અપ્રસન્નતા થાય છે. ‘ સેાડહુમ્ 'ના જપથી શ્વાસની ગતિ પેાતાની મેળે મ થાય છે. એનાથી દિલની ધડકન મદ, મદ ચાલવા લાગે છે, અને દિલ જેટલું ઓછુ થડકે એટલું જ મન શાન્ત અને પ્રસન્ન રહે છે. એ સિવાય ૐની ઉપાસનાની ઉપમા ઘંટા–નાદની આપી છે. ઘંટા-નાદના સુમાન જપ કરવા માટે ૐકારની એકમાત્રા, દ્વિમાત્રા ત્રિમાત્રાના સ્વરૂપને સમજવાની જરૂર છે. ત્રિમાત્રા ઘટા-નાદ સમાન ક્રાય છે. પરં તુ ‘ સેઽહમ્ ની ધ્વનિમાં પાતાની મેળે ઘંટા-નાદ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy