SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ડહમ વિજ્ઞાન સમાન ચક બંધાઈ જાય છે. જેથી સ્વાભાવિક રૂપમાં કારનો જપ થવા લાગે છે. સોહમને શ્વાસ-પ્રશ્વાસ સાથે જે મેળ બેસે છે, એ બીજો કોઈ મંત્ર સાથે બેસતો નથી. કાર એના ગર્ભમાં છે. એના જપથી આપોઆપ ૩ને જપ થાય છે. એ સર્વ કારણોથી અને સુરતમાં ચિત્તની એકાગ્રતા કરવાવાળો અને સારગર્ભિત એના જે બીજો મંત્ર નથી. નિદ્રા નાશની અપૂર્વ ઔષધિ કે વર્તમાનકાળના સંસારમાં લાખમાં કદાચ એક મનુષ્ય પણ મુશ્કેલીથી મળશે કે જેનું મન પૂર્ણ શાંત હોય. વર્તમાન સમયના જગતના સર્વ સાધન જેવાં કે રેલ્વે, તાર, નાટક, સિનેમા, પ્રેસ, ઉપન્યાસ, છાપાં અને અનેક પ્રાપ્ત અને અપ્રાપ્ત સાધનથી પ્રત્યેક મનુષ્યનું મન ઉદ્વેગ યુક્ત અને અતિ ચંચળ બનેલું રહે છે. અને એ નિયમ છે કે, મન જેટલું ચંચળ રહે છે, એટલી જ નિદ્રા ઓછી આવે છે. હજાશે મનુષ્ય બિછાના પર ઘણા સમય સુધી ચર્થના વિચાર કરતા પડ્યા રહે છે, ત્યાર બાદ થંડી અપૂર્ણ નિદ્રા આવે છે અને ઘણા મનુષ્યોને તે (અનિદ્રા) નિદ્રા નાશને રોગ જ થાય છે. એનું જીવન ભારરૂપ બની જાય છે. પરંતુ “સેહમૂ”નો જપ નિદ્રા નાશ રોગની અપૂર્વ ઔષધિ છે. સૂતી વખતે “સોહમ ને જપ કરવાથી દશ મિનિટની અંદર પ્રગાઢ નિદ્રા આવવાને સંભવ છે. બિછાના પર સૂતા પછી અંદર શ્વાસ લેતી વખતે “સો” અને બહાર કાઢતી વખતે
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy