SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ડહમ વિજ્ઞાન એ ઉચ્ચારણમાં વ્યંજનેને છેડી દેવાથી જે મૂધ ભેદી ધ્વનિ રહે છે, એને કાર યા પ્રણવ કહે છે. કાર મંત્રને તારક પણ કહે છે, કેમ કે તે જપ કરનારને તારનાર છે. કાર એ માટે કહે છે કે, તે જપ કરનારની રક્ષા કરે છે. એને પ્રણવ એ માટે કહે છે કે, સંસારીજનેને માટે તે વહાણ સમાન તારનાર છે. અથવા ખૂબ જપ કરવાથી જેનું ફળ અવશ્ય મળે છે. અથવા જપ કરવાથી જ્ઞાનને પ્રકાશ અંતરમાં પ્રગટે છે. અથવા જપ કરવાથી સંસારી જ જાળાની અશાન્તિનો નાશ થાય છે. એ પ્રકારે અનેક અર્થોથી પૂર્ણ કારના જપથી એના વાસ્થરૂપ પરમાત્મપ્રકાશ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય છે. એટલા માટે ચગી પતંજલિએ કહ્યું છે કે એ શબ્દ સ્વભાવથી જ પરમેશ્વરને વાચક છે એ જપ અને અર્થની ભાવના કરવાથી પરમેશ્વર રૂપ વાચ્ય વસ્તુ પ્રકટ થાય છે. ૩% અને સેહમને ભેદ. એમ અને સહમ એ બને મંત્ર વર્ણાત્મક નથી. પરંતુ વન્યાત્મક છે. ની ઉપમા ઘંટાનાદની આપેલ છે, ઘડિયાળમાં જેમ ટનનનને ઇવનિ થાય છે, એની નકલ (ટનનન) એ અક્ષરોમાં અમે કરી દીધી છે. આ વિશ્વમાં નિરંતર એક અવ્યક્ત દવનિ થયા કરે છે, જે એકાગ્ર અવસ્થામાં સાંભળી શકાય છે. એ ઇવનિની કલ્પિત પ્રતિમા » છે. એ જેને બહા બીજ પણ કહે છે. એના જપ વડે અવિઘા–અજ્ઞાન દૂર થતું જાય છે, અને જીવાત્માં પરમાત્મા સમીપ થતું જાય છે. મં. ૬
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy