SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૦ સ ૧૨૯ માર્ગે જતાં તેઓ કોઈ નિર્જન અરણ્યમાં પેઠા, ત્યાં તે પાંચે જણ્મસ્થળમાં ગયા હોય તેમ તૃષાથી આક્રાંત થઇ ગયા, તેથી તે મહાટવીમાં અટન કરીને તેઓ જળ શેાધવા લાગ્યા. તેએમાંથી ભમતા ભમતા અવસરને પાંચ શિખરવાળા એક રાફડો જોવામાં આવ્યેા. તેણે તે ચારે મિત્રોને બતાવ્યા. પછી તેઓએ મળીને તેમાંથી પૂર્વનુ શિખર ફાડયું, તેમાંથી પુષ્કળ જળ નીકળ્યું, તેનું પાન કરીને તેઓ સ્વસ્થ થયા. પછી પ્રસરે કહ્યું કે, “આનું દક્ષિણ શિખર ફાડીએ તેમાંથી જરૂર આપણને કાંઈક ખીજી વસ્તુ મળશે.' ત્યારે અવસરે કહ્યું કે, ‘આપણે તે ખાવુ. યાગ્ય નથી કારણ કે તેમાંથી કદી સપ નીકળે તેા શું કરીએ, કેમકે રાફડા સર્પનું જ સ્થાન હોય છે.' તે સાંભળી સવાદ એલ્યા કે, ‘તમારા ખેલવામાં મોટો ફેર પડયો છે, કેમકે પ્રથમ ફ્રેાડેલા શિખરમાંથી સર્પ નીકળ્યા નથી પણ જળ નીકળ્યું છે.’ અવસરે ક્ીવાર કહ્યું કે, એ તો દૈવયેાગે જળ નીકળી ગયું.' એટલે કારક ખોલ્યા કે, તેજ પ્રમાણે કઢિ દૈવયેાગે આમાંથી પણ બીજી વસ્તુ નીકળશે.’ આ પ્રમાણે કહીને કારક તે ખેાદવા લાગ્યા. એટલે આ કરવામાં મારા મત નથી' એમ કહી અવસર પોતાના ગાડામાં બેસી આગળ ચાલ્યા ત્યારે ભલન ખોલ્યા કે, કદિ અવસર ચાલ્યા ગયા તો ભલે ગયા, એના વિના પણ આપણે આ શિખરને ખાદીશુ,' આ પ્રમાણે વિચારી તેઓ ખાદવા લાગ્યા. તે ખાદતા તેમાંથી ત્રાંબાનાણું પુષ્કળ નીકળ્યું; એટલે અવસર વિના બાકીના ચારે જણાએ તે વહેંચી લીધું, પછી તેમણે લાભથી ત્રીજું શિખર ખાવું, તે તેમાંથી રૂપુ નીકળ્યું; એટલે તેઓએ પ્રથમનું ત્રાંબાનાણું તજી દઇ રૂપું વહેંચી લીધું. પછી ચેાથુ શિખર ખાઘું, તો તેમાંથી સુવર્ણ નીકળ્યું, એટલે લાભથી રૂપાને છેાડી દઈ ને સુવર્ણ વહેંચી લીધું. પછી તેમણે જાણ્યું કે ‘આ પાંચમા શિખરમાં તો જરૂર રહ્ના જ હશે’ એવા વિચારથી તે લેાભાંધ વિષ્ણુકાએ તેને પણ ખાવું, કેમકે ‘લાભથી લાભ વધે છે.' પરંતુ અત્યંત મથન કરેલા સમુદ્રમાંથી છેવટ કાલકૂટ નીકળ્યું હતુ' તેમ તે શિખર ખાઢતાં એક દૃષ્ટિવિષ સર્પ નીકળ્યા. તે સર્પ રાફડા ઉપર ચડી સૂર્ય સામે જોઈને વિષર્દષ્ટિથી જોયું કે તત્કાળ વૃષભ સહિત ચાર ગાડાં અને ચારે વિષ્ણુકા દહન થઈ ગયા. પેલા અવસરને નિર્લોભી જાણીને તેની અધિષ્ઠાતાદેવીએ બળદ અને ગાડા સહિત તેણે ધારેલા સ્થાનકે પહેાંચાડી દીધા.’ હે આનંદમુનિ ! આ પ્રમાણે તે ચાર વણિકની જેમ હું તારા ગુરૂને ખાળી નાંખીશ અને પેલા અવસરની જેમ તને છેાડી મુકીશ.” આ પ્રમાણે સાંભળી ભિક્ષા સમાપ્ત કરી આનંદમુનિ પ્રભુ પાસે આવ્યા અને ગેાશાળે કહ્યું હતુ. તે બધું કહી સ`ભળાવ્યું. પછી તેણે શક્તિ થઇને પૂછ્યું કે, “હે સ્વામી! ગૌશાળે કહ્યું કે ‘હું ભસ્મ કરી દઈશ' તે તેનું ઉન્મત્ત ભાષણ છે કે તેમ કરવાને તે સમર્થ છે ?” પ્રભુ બોલ્યા કે, તે અત સિવાય બીજાની ઉપર તેમ કરવાને સમર્થ છે, અને તે અનાર્ય બુદ્ધિથી અંતને સંતાપ માત્ર કરી શકે છે. માટે આનન્દ્રે ! તુ જઇને ગૌતમ વિગેરે સર્વ મુનિને આ ખબર કહે કે જેથી તેની સાથે કાઈ બોલે નહિ. તેવી પ્રેરણા કરવાથી તારૂ પણ હિત થશે. કેમકે ધર્માંના વિઘ્ન પણ આપણને પીડે છે.' આનંદે તરત જ સર્વે મુનિ પાસે જઈને તે પ્રમાણે કહ્યું, તેવામાં ગાશાળા પ્રભુ પાસે આવ્યા અને આ પ્રમાણે મેલ્યા કે–“ અરે કાશ્યપ ! તું ‘આ ગેાશાળા મખલિપુત્ર છે અને મારા શિષ્ય છે’ ઇત્યાદિ જે લેાકા પાસે બેલે છે, તે તારૂ ભાષણ મિથ્યા છે; કેમકે જે તારા શિષ્ય ગેાશાળા હતો, તે શુકલકુળનેા હતો, ૧૭
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy