SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જે પપ અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ રક્ષા પોટલી કરો બંનેને હાથે બાંધી. તેઓ (પ્રભુ અને માતા) મોટા મહિમાવાળા હતાં તો પણ એ તે દિપકુમારિઓને ભક્તિક્રમ છે. પછી * તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એવું પ્રભુના કાનમાં કહી પાષાણના બે ગળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સૂતિકા ભુવનમાં શગ્યા ઉપર સુવાડી તેઓ મંગલિક ગીત ગાવા લાગી. હવે સૂતિકર્મ કરીને દિકકુમારિકાઓ સ્વસ્થાનકે ગઈ તે સમયે લવેળાએ જેમ સર્વ વાજિંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘંટાઓને એક સાથે ઊચે ધ્વનિ થયે, અને પર્વતના શિખરની પેઠે અચળ એવાં ઈંદ્રોનાં આસન, સંભ્રમવડે હૃદય કંપે તેમ કંપાયમાન થયાં, તે વખતે સૌધર્મ દેવલોકના પતિ સધર્મેન્દ્રનાં નેત્ર કેપના આટોપથી લાલ થઈ ગયાં, લલાટપટ ઉપર ભ્રકુટી ચડાવવાથી તેમનું મુખ વિકરાળ થયું. જાણે અંદરના ક્રોધરૂપ વહ્નિની શિખા હોય તેવા અધર ફરકવા લાગ્યા. જાણે આસનને સ્થિર કરવાનું હોય તેમ એક પગ ઊંચો કરવા લાગ્યા અને “ આજે યમરાજે કેને કાગળ મેકલ્યો છે? એમ બેલી પોતાના શૂરાતનરૂપ અગ્નિને વાયુ સમાન વજ ગ્રહણ કરવાની ઈચ્છા કરી. એવી રીતે ક્રોધ પામેલા કેશરી જેવા ઇંદ્રને જોઈ જાણે મૂર્તિમાન માન હોય તેવા સેનાપતિએ આવી વિજ્ઞપ્તિ કરી “હે સ્વામિ ! આપને મારા જેવા પદાતિ છતાં શા માટે આપ પોતે જ આવેશમાં આવે છે? હે સ્વર્ગપતિ! આજ્ઞા કરો કે કયા ના શત્રુનું હું' મથન કરું ?' તે ક્ષણે પોતાના મનનું સમાધાન કરી અવધિજ્ઞાનથી ઈ જોયું તે અદિપ્રભુનો જન્મ તેમને જાણવામાં આવ્યો. હર્ષથી તત્કાળ તેમના ક્રોધને વેગ ગળી ગયો અને વૃષ્ટિથી શાંત થયેલા દાવાનળવાળા પર્વતની જેમ ઈદ્ર શાંત થઈ ગયા. “મને ધિક્કાર છે કે મેં આવું ચિંતવ્યું, મારું મિથ્યા દુષ્કૃત થાઓ, એમ બોલી તેણે ઈંદ્રાસનને ત્યાગ કર્યો, સાત આઠ પગલાં ભગવંતની સન્મુખ ચાલી, જાણે બીજા રત્નમુકુટની લક્ષમીને આપનાર હોય તેવી કરાંજલિ મસ્તકે સ્થાપન કરી, જાનુ અને મસ્તક કમલથી પૃથ્વીને સ્પર્શ કરવાવડે પ્રભુને નમસ્કાર કરી, રોમાંચિત થઈ તેણે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી–“હે તીર્થંકર ! હે જગતને સનાથ કરનારા ! હે કૃપારસના સમુદ્ર! હે નાભિનંદન ! તમને નમસ્કાર કરું છું. હે નાથ નંદનાદિકર ત્રણ ઉદ્યાનથી જેમ મેર પર્વત શેભે છે તેમ મતિ વગેરે ત્રણ જ્ઞાન સહિત ઉપજવા થી તમે શેભે છે. હે દેવ ! આજે આ ભરતક્ષેત્ર સ્વર્ગથી પણ વિશેષ શોભે છે, કેમકે મૈલોક્યના મુગટરની સમાન તમે તેને અલંકૃત કર્યું છે. હે જગન્નાથ ! જન્મકલ્યાણકને મહત્સવથી પવિત્ર થયેલો આજને દિવસ સંસારમાં રહું ત્યાં સુધી તમારી પેઠે વંદન કરવાને ગ્ય છે. આ તમારા જન્મના પર્વથી આજે નારકી એને પણ સુખ થયું છે. કેમકે અહં તેને ઉદય કાના સંતાપને હરનાર ન થાય? આ જમ્બુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં નિધાનની પેઠે ધર્મ નષ્ટ થઈ ગયું છે, તેને તમારી આજ્ઞારૂપી બીજથી પાછો પ્રગટ કરો. હે ભગવન્! તમારા ચરણને પ્રાપ્ત કરીને હવે કેણુ સંસારને તરશે નહીં ? કેમકે નાવના ગવડે લો પણ સમુદ્રના પારને પામે છે. હે ભગવન્! વૃક્ષ વિનાના દેશમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય અને મરુદેશમાં જેમ નદીનો પ્રવાહ પ્રગટ થાય તેમ તમે આ ભરતક્ષેત્રમાં લોકોના પુણ્યથી અવતરેલા છે.” એવી રીતે પ્રથમ દેવલોકના ઇદ્ર ભગવાનની સ્તુતિ કરીને પોતાના સેનાધિપતિ ગમિષી નામના દેવને આજ્ઞા કરી કે –“હે સેનાપતિ જબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ૧. આ ઘટનાદની હકીકત અન્યત્ર આવતી નથી. આસનકંપ જ થાય છે. ૨ નંદન, સેમિનસ અને પાંડુક.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy