SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ we હતાં. રમતમાં દેખાતા ગ્રીક જિવતરને આનંદ પ્રાચીન જિવતરમાં નવી જ જાતની ભાત પાડતા હતા. આ જિવતરમાં લખાયેલી ‘ સોફેકિલિસ ’ની કરૂણ કથાઓમાં પણ અચાનક રીતે અખંડ રમતા જીવતરના આનંદ ઉછળી આવતા હતા તથા જિવનની પાંખા ફફડાવતા જાણે એ પણ એટલી ઉઠતા કે “ દરિયા પર રખડનારા અને ખરથી ઢંકાયલા પંત પર રખડનારા નૃત્યના દેવ પાન, અરે પાન, તું આવી પહેાંચ અને મારી સાથે નાચવા માંડ. ’” કરૂણ કથા પણ જિવનનું નૃત્ય કરતી આનંદમાં પટકાઇ પડતી હતી, જગતનું ક્રિડાંગણ બનેલી આ ગ્રીક ભૂમિ પર રમતનાં ક્રિડાંગણા પથરાઇ ગયાં હતાં. જો ગ્રીક દેશની સંસ્કૃતિ ધરતી નીચે ટાઇ જાય તે જ્યારે પણ એને ખાવામાં આવે ત્યારે આ ધન્ય ધરતી નીચેથી પિરામીડે નહિ. પણ ક્રિડાંગણા નીકળી આવે અને રમવા માંડે તેથી જીવનની વેટના અહી જામતી હતી. સંસ્કૃતિનો પ્રાણ આઝાદી દરિયા કિનારા પર પથરાયેલા તથા ખડકા અને પવાથી ઢંકાયેલા આ દેશ જ એવા હતા કે જેના પર જાલિમા વધારે સમય જીવી શકયા નહિ. ખીજી ધરતી ઉપર જેવી શહેનશાહતા જીવનને ઝટ ગુલામીમાં જોતરી દેતી હતી તેવી શહેનશાહુત હજુ અહિં ઉગી ન હતી. જ્યારે અહિં ઇતિહાસના ઉઘ્ન થયા ત્યારે કાઇ પણુ પ્રાચીન રાજ્યની હકૂમત ન હતી. અહિં થોડા સમય જાલિમાનું રાજ્ય આવી ગયું પણ તે એક જ રાતમાં લય પામી ગયું. પછી આ ભૂમિ પર આઝાદીના સ્વરૂપના પાયા સત્યની શાધ અથવા પદાર્થની તપાસમાંથી ઉગવા માંડયા. જાદુએની સંસ્થા જેવી ‘ ડેલફીની ઓરેકલ ’ની દિવાલ પર પણુ “ તમારી જાતની તપાસ કરેા અને અતિશયતાથી દૂર રહેા ’” એવી શિખામણુ લખવામાં આવી હતી. આ ધરતી પર ઈ. સ. પૂર્વે ઠ્ઠા અને પાંચમા સૈકામાં પદાર્થની શોધ કરનારા અને મનુષ્યના વ્યવહારની તપાસ કરનારા જાદુગરા કે પુરાહિતા નહિં પણ ચિંતા ઉભરાવા માંડયા. · એનેકઝાગેારાસે ' કહ્યું, “ આ જગત પર જ્યારે પહેલીવાર ચિત્ત અથવા વિચારને ઉદય થયા ત્યારે અંધકારને લય થવા માંડયા અને આઝાદી શરૂ થવા માંડી.'' નિયમ નામના શબ્દના અર્થ અહિં પદાર્થ અને મનુષ્યના વ્યવહારમાં અવલોકનમાંથી જતું સત્ય એવા થયા. શરૂઆતથી જ પુરેસહિતા અથવા ભૂવાએ " આ ધરતી પરના જીવન વ્યવહારમાં અધિકારના સ્થાન પર આવી શકયા નહિ', તેમનું સ્થાન દેવળ પૂરતું જ અને દેવળના ક્રિયાકાંડા પૂરતું મર્યાદિત રહ્યું. એવા ગ્રીક ધરતી પરના આઝાદ નાગરિક શંકા થાય તે પૂછ્યા માટે સોફ્રિ પાસે જવા લાગ્યા. જીવન વ્યવહારમાં ભૂવાએની સલાહ લેવાના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy