SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કેસીના વિજય પછી એડવર્ડ કેલેને ઘેરો ઘાલ્યો. ઘેરે અમિઆર માસ સુધી ચાલ્યો. આખરે અનાજ પાણી ખૂટી જવાથી ભૂખે મરતા લેક એડવને શરણે આવ્યા અને કેલે છતાયું. એડવર્ડ કેલેમાં અંગ્રેજો વસાવ્યા, અને આશરે ૨૦૦ વર્ષ સુધી તે અંગ્રેજોના હાથમાં રહ્યું. રાજાએ કેલેના વિજયનું સ્મરણ રાખવા માટે સેનાના નવા સિક્કાઓમાં વહાણની છાપ મુકાવી. પિઈ ટીયર્સનું યુદ્ધઃ કેસીના યુદ્ધ પછી દશ વર્ષે એટલે ઈ. સ. ૧૩૫૫માં બંને દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ. કેસીના યુદ્ધમાં વિજેતા શ્યામ યુવરાજ બર્ડોમાં રહ્યો, અને લેકે ઉપર કેર વર્તાવવા લાગ્યો. તેના સિપાઈઓ આસપાસનાં ગામો લૂટતા અને બાળતા. ફેન્ચોથી આ ખમાયું નહિ, અને અંગ્રેજોની જોડે યુદ્ધ કરવા એક મોટું સૈન્ય તૈયાર થયું. શ્યામ યુવરાજે સંધિ કરવાની તત્પરતા બતાવી, પણ ફેન્ચોએ તે માગણી સ્વીકારી નહિ, એટલે પિઈટીયર્સનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં પણ અંગ્રેજોએ કેસીના જેવીજ વ્યુહરચના કરી હતી, અને બહાદુર અંગ્રેજ તીરંદાજેએ ફેન્ચોના ચાર ગણું સૈન્યને ત્રાહે ત્રાહે પિકરાવી હરાવ્યું. ફન્સને રાજ તેના કેટલાક અમીરે સાથે કેદ પકડાય. સ્યામ યુવરાજે “રાજકેદી’નું ઉત્તમ સન્માન કર્યું, અને તેને ઇંગ્લેન્ડ મોકલ્યો. એડવર્ડ તેને ર્કોટલેન્ડના રાજાની સાથે કારાગૃહમાં રાખે. અંતઃ એવામાં સ્પેનના રાજાના જુલમથી ત્યાંની રૈયતે બળવો કરી તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો. તેણે શ્યામ યુવરાજની મદદ માગી. એમાં પણ યુવરાજને છત મળી, પણ તે સેટકે ખુવાર થઈ ગયો, અને તેની તબીયત લથડી ગઈ. હવે ધીમે ધીમે અંગ્રેજો મેળવેલ મુલક છેવા લાગ્યા. ઈ. સ. કંઈ જાણવાજોગ પરાક્રમ કર્યું ન હતું. પિતાને પુત્ર કંઈક પરાક્રમ કરી બતાવે એવી હોંસથી રાજાએ તેને સેનાપતિ બનાવ્યો હતો. લડાઈ થઈ રહ્યા પછી રાજા અને કુંવર રણક્ષેત્રમાં ફરવા નીકળ્યા, અને ફરતા ફરતા એક વૃદ્ધ અંધ રાજાના શબ પાસે આવી પહોંચ્યા બાજુમાં એક ઘેડાના પગથી છુંદાએલો અને લોહીથી ખરડાએલો વાવટે હતા. તેના ઉપર શાહમૃગનાં ત્રણ પીંછાં ચીતરી નીચે ‘Ich Dien” (હું સેવા કરૂં છું.) એવા શબ્દો લખ્યા હતા. રાજાએ એ વાવટે ઉપાડી લઈ યુવરાજને આપી કહ્યું, કે “આ પીંછાને તમે તમારું ચિહ્ન બનાવો, અને આ શબ્દોને તમારો મુદ્રાલેખ ગણે.” ત્યારથી ઇંગ્લેન્ડનો પ્રત્યેક યુવરાજ એ ચિહ્ની અને મુદ્રાલેખ ધારણ કરે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy