SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ (૪) એકધારી રાજ્યનીતિઃ જો કે જુદાં જુદાં ખાતાંઓને વહીવટ જુદા જુદા પ્રધાને ના હાથમાં હેાય છે; પરંતુ પરદેશનીતિ કે તેવા અગત્યના પ્રશ્નામાં તે એકમત થઈ કાર્ય બજાવે છે, એટલે પ્રધાનમંડળના દરેક સભ્યને પ્રધાનમંડળના બહુમતીથી થએલા નિર્ણય સાથે સંમત થવું પડે છે. ઈટલી અને એબિસિનિઆના પ્રશ્ન ઉપર પરદેશમંત્રી સર સેમ્યુઅલ હારને પ્રધાનમંડળના અન્ય સભ્ય સાથે મતભેદ પડયેા હતેા. પરિણામે સર સેમ્યુઅલ હારે રાજીનામું આપ્યું હતું. (૫) પ્રધાનમંડળની દરેક ચર્ચા છૂપી રાખવી જોઈ એ. પ્રધાનમંડળની ફરજો અને જવાબદારી : (૧) દેશની શાંતિ, જાહેર વ્યવસ્થા, સારા રાજ્યકારભાર, પરરાજ્યનીતિ, નાણાંની વ્યવસ્થા, વેપારઉદ્યોગની ખીલવણી, નૌકા ખાતું, હવાઈ કાલા વગેરેની દેખરેખ તથા સંસ્થાને તેમજ સામ્રાજ્યના ખીજા ભાગેાની દેખરેખ તથા વ્યવસ્થા જાળવવાનું કામ પ્રધાનમંડળનું છે. (૨) સ્વદેશના અને સામ્રાજ્યના ખીજા ભાગેાના મુખ્ય હાદ્દેદારાની નીમણુક રાજા પ્રધાનમંડળની સલાહથીજ કરે છે. (૩) દેશના હિતને માટે જરૂરી ખરડા પ્રધાનમંડળ ધડે છે; અને તેને આમની સભા ટેકે આપે છે. પેાતાના ખાતાના વહીવટ વિષે દરેક પ્રધાનને પાર્લમેન્ટના સભ્યાના પ્રશ્નોને સંતાષકારક જવાબ આપવા પડે છે. તે ધારણ કરેલી નીતિના બચાવને અર્થે દરેક પ્રધાને તૈયાર રહેવું જોઈ એ. (૪) નાણાંકીય ખરડા પ્રધાને રજુ કરે છે. અંદાજપત્ર (Budget) તે તિજોરી ખાતાના પ્રધાન ધડે છે, અને આમની સભામાં રજુ કરે છે. પાર્લમેન્ટે મંજુર કરેલા કરેા વસુલ કરવાનું કામ, અને તેની મંજુરી પ્રમાણે ખર્ચ થાય છે કે નહિ તે જોવાનું કામ પણ પ્રધાનમંડળનું છે. (૫) વડા પ્રધાન પ્રત્યેક રાજકીય બાબતમાં રાજાને સલાહ આપે છે, અને તેને પ્રધાનમંડળના કામકાજથી વાકેફ રાખે છે. (૬) પાર્લમેન્ટની બંને સભાનેા કાર્યક્રમ પ્રધાનમંડળજ નક્કી કરે છે. આ ઉપરથી તમે સમજી શકશેા, કે ઇંગ્લેન્ડમાં રાજાને નામે ચાલતા સમગ્ર રાજ્યતંત્રની દેરીના સંચાલક હાવાનું માન પ્રધાનમંડળને ઘટે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy