SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૭ (૩) જાહેર હિતની બાબતમાં ચર્ચા કરે; ઠરાવ પસાર કરી શકે. કેબિનેટના સભ્યને પ્રશ્ન પૂછી શકે. કેબિનેટને અવિશ્વાસને ઠરાવ લાવી રાજીનામું આપવાની ફરજ પણ પાડી શકે. (૪) ન્યાય સંબંધી સત્તા નથી. –અમીરેની સભા(૧) ખરડા રજુ કરી શકે. ચર્ચા કરી શકે. ખરડા પર સુધારા સૂચવી શકે. આમની સભામાં પસાર કરેલા ખરડાને સંમતિ આપી પસાર કરાવી શકે; અથવા બે વર્ષ માટે મોકુફ રાખી શકે. (૨) નાણાંકીય ખરડા અથવા બજેટ પર ચર્ચા કરી શકે. વધુમાં વધુ એક માસ મુલતવી રાખી શકે. (૩) જાહેર હિતની બાબતમાં ચર્ચા કરી શકે; ઠરાવ રજુ કરી શકે, પણ કેબિનેટ પર દબાણ લાવી શકે નહિ. (૪) ન્યાયની બાબતમાં તે છેવટની અપીલની અદાલત તરીકે કાર્યો કરી શકે; મુકર્દમા પણ ચલાવી શકે. પ્રકરણ ૪થું પ્રધાનમંડળ (Cabinet) કેબિનેટની ઉત્પત્તિ અને વિકાસઃ રાજ્યવહીવટની સલામતી ખાતર સલાહકાર મંડળ નીમવાનો રિવાજ તો પરાપૂર્વથી હતો. પિતાના સલાહકારોને પસંદ કરવાની સત્તા રાજાને જ હતી. પરંતુ ક્રમે ક્રમે આ સત્તા પાર્લમેન્ટ પિતાને હસ્તક લેવા માંડી, અને પંદરમા સૈકાના આરંભમાં પાર્લમેન્ટને વિશ્વાસ મેળવ્યું હોય તેવાજ ગૃહસ્થો આ મંડળમાં બેસી શકે એમ ઠર્યું. એને પ્રિવિ કાઉન્સિલનું નામ આપવામાં આવ્યું. ધીમે ધીમે તેના સભ્યની સંખ્યા વધવા લાગી. તેમાં કેટલાકને તો રાજકારણની ગંધ સરખી પણ ન હતી, એટલે તેમનામાં રાજાને સલાહ આપવાની યોગ્યતા ક્યાંથી હોય ? આથી ધીમે ધીમે એવી પ્રથા પડવા લાગી કે રાજાની ઈચ્છામાં આવે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy