SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ (૩) રાજ્યવહીવટને લગતી સત્તાઃ આમની સભાની માફક અમીરાની સભાને પણ પ્રશ્નો પૂછવાના અને ઠરાવા રજુ કરવાને હક છે. સરકારની સ્વદેશનીતિ અગર પરદેશનીતિ સંબંધી પેાતાને અભિપ્રાય વ્યક્ત ફરતા ઠરાવ ચર્ચા માટે રજી કરવાના હક અમીરાની સભાના કાઈ પણ સભાસદને છે. જાહેર હિતની બાબતમાં આ સભા ચર્ચા કરી શકે છે, અને ઠરાવા પસાર કરે છે; પરંતુ તે બાબતમાં પ્રધાનમંડળને તેમની નીતિ ગ્રહણ કરવાની ફરજ પાડી શકે નહિ. આ ઉપરથી નક્કી થાય છે કે કેબિનેટ આમની સભાને જવાબદાર છે, અમીરાની સભાને નહિ. 1 (૪) ન્યાય સંબંધીઃ અમીરાની સભા ન્યાયની બાબતમાં સર્વોપરિ સત્તા ભાગવે છે. સામ્રાજ્યમાં અપીલની તે છેવટની અદાલત ગણાય છે. જુના સમયથી આ સત્તા અમીરાની સભા ભાગવે છે. કાઈ પણ મોટા અમલદાર સામે આમની સભાને મુકર્રમા (Impeachment ) ચલાવવે હાય, તેા તે અમીરાની સભા સમક્ષ ચલાવવામાં આવે છે. વારન હેસ્ટિંગ્સન મુકર્રમે આમની સભાએ અમીરાની સભા સમક્ષ ચલાવેલા, તે તે તમે જાણા છે.. અમીરાની સભા અપીલો સાંભળે છે; પણ કાર્યની સગવડ ખાતર છ ન્યાયાધીશાનું એક ‘સ્વતંત્ર મંડળ' નીમવામાં આવે છે. તેમાં ચાર ન્યાયાધીશો જિંદગી પર્યંત ખેસે છે, અને તેમાં લાર્ડ ચાન્સેલર અને માજી ચાન્સેલર તેમને મદદ કરે છે. ' આ ઉપરથી આમની સભા અને અમીરાની સભાની ફરજો અને કાર્યક્ષેત્ર વિષે ટુંકા નાંધ નીચે મુજબ તૈયાર કરી શકાય. —આમની સભા = (૧) ખરડા રજુ કરી શકે. તેને પસાર કરી ઉપલી સભાની સંમતિ માટે માકલી શકે. ઉપલી સભા સંમતિ ન આપે, તેા લાગલાગટ એ વરસની ખેઠકમાં ત્રણ વખત પસાર કરી તે ખરડાને રાજાની સહીથી પસાર કરાવી શકે. (૨) નાણાંકીય ખરડા અને અંદાજપત્રા આમની સભામાંજ પહેલાં રજુ થઈ શકે. ખરડા નાણાંકીય છે કે નિહ, તે સંબંધી ‘સ્પીકર’ને નિર્ણય છેવટના ગણાય. આમની સભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને અમીરાની સભા એક માસમાં પસાર ન કરે, તે રાજાની સહીથી તે પસાર થાય.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy